ન્યુઝ ખાંભા
અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકાના આબલીયાળા ગામના સરપંચ ભાવેશભાઈ જાદવ ની મહેનત રંગ લાવી
આજ સુધી કોરોનોની સાથે લડત આપવા આપણું ગામ આબલીયાળા ગામ કટિબધ્ધ રહ્યું છે અને હોંમ કોરોન્ટોઈન નું ચુસ્ત પણે પાલન કરનારા મારા વહાલા ગ્રામજનોએ પૂરતો સહકાર આપ્યો છે માટે આપણું ગામ કોરોનો થી દૂર રહ્યું છે એટલે મારી ગ્રામ જનોને નમ્ર વિનંતી છે કે ગિર સોમનાથ જિલ્લો આપણા ગામને અડીને આવેલો હોય અને ખાશ કરીને વેવાઈ વેલા, સગા સંબંધી ગીર સોમનાથ જિલ્લામાં હોય અને અત્યારે દિન પ્રતિદિન કોરોનાના કેસનો ગીર સોમનાથ જિલ્લામાં વધારો થય રહ્યો છે તો બને ત્યાં સુધી અંગત કામ સિવાય ખોટે ખોટું ફરવા જવું નહીં જેથી કરીને આપણે બધાએ કરેલી મહેનત એળે ના જાય… પ્લીઝ મહેરબાની કરીને આ ભયંકર રોગથી સાવસેત રહેજો અને રમતમાં નહીં સમજતાં….
આપણા વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જે લોકડાઉન આપવામાં આવેલ અને તેમના દ્વારા જે સૂચના આપવામાં આવેલ તેમનું ખૂબ સારી રીતે પાલન કરવામાં આવ્યું. આ લોકડાઉનમાં મને મદદરૂપ થનાર ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો, મિત્રો, વડીલો, દુકાનદારો, પ્રા.શાળા સ્ટાફ,હોમગાર્ડ જવાન,આરોગ્યનો સ્ટાફ તથા ગ્રામજનોનો હું દિલથી હદયપૂર્વક આભાર માનું છું.
આપણો પરિવાર તથા આપણું ગામ સૂરક્ષીત, આપણું ગામ સૂરક્ષીત તો આપણો દેશ સૂરક્ષીત
રીપોર્ટર. વિક્રમ સાખટ રાજુલા




