*આજે અમરેલી જિલ્લામાં વધુ ૪ કોવિડ-૧૯ના ૪ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૩૯*
*૪ મૃત્યુ, ૧૪ ડિસ્ચાર્જ અને ૨૧ એક્ટિવ કેસ*
અમરેલી, તા: ૨૦ જુન ૨૦૨૦
આજે તા. ૨૦ જુનના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૪ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. ૧૦ દિવસ પહેલા અમદાવાદથી આવેલા અમરેલી શહેરની સિંધી સોસાયટીના ૫૫ વર્ષીય પુરુષ, ૧૮ જૂનના અમદાવાદથી આવેલા નવા ખીજડિયાના ૫૦ વર્ષીય પુરુષ, અમદાવાદ અને રાજકોટની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા સાવરકુંડલાના ૩૩ વર્ષીય પુરુષ અને ૧૪ જૂનના અમદાવાદથી આવેલા કુંકાવાવના બાંટવા-દેવલીના ૪૦ વર્ષીય પુરુષના કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ, જિલ્લામાં કુલ ૪ દર્દીઓના દુઃખદ અવસાન થયા છે અને ૧૪ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. કુલ ૩૯ પોઝિટિવ કેસમાંથી હાલ ૨૧ એક્ટિવ કેસ છે.
હાલ, આ દર્દીના સંપર્કમાં આવેલા તમામને કોરેન્ટાઇન કરવાની તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)


