આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ખાંભા તાલુકાના સમઢિયાળા ગામે રહેતાં ઘનશ્યામભાઈ નાથાભાઈ વણજર (ઊ.વ.૩૦) ગત શનિવારે બપોરના સમયે ભાગીયૂ રાખેલ વાડીએ જતા હતાં તેં દરમ્યાન ડુંગર પાસે પહોંચતા કાળુભાઈ નનાભાઈ વણજર ચરાવી રહેલ ભેંશ ભડકતા ઉશ્કેરાઈ જઈ ઘનશ્યામભાઈ ને અપશબ્દ બોલવા લાગી તેમજ તેમનાં ભાઈ શિવાભાઈ એ ડાબા હાથ ઉપર મારી ફેકચર કરી બીજા ત્રણેય તહોમતદારો એ લાકડી વતિ મૂંઢમાર મારી ઘનશ્યામભાઈ નાં પત્ની માલુબેન વચ્ચે પડતાં ગાળો આપી એક સંપ કરી મારી નાખવાની ધમકી આપતાં ખાંભા પોલીસ સ્ટેશનમાં ઘનશ્યામભાઈ વણજરે આજ ગામનાં કાળુભાઈ નનાભાઈ વણજર, શીવાભાઈ નનાભાઈ વણજર, નનાભાઈ હરસુરભાઈ વણજર, અને સામતભાઈ નનાભાઈ વણજર વિરૂદ્ધ જાનથી મારી નાખવાની ફરીયાદ (એફ.આર.આઈ.)લખાવ તા આઈ.પી.સી.૩૨૫,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪,૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી ચારેય આરોપીની ૧૫૧ મુજબ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.આગળ ની તપાસ ઐ.એસ.આઈ. બરજોડ કરી રહ્યાં છે.ફરિયાદી ઘનશ્યામભાઈ ને ૧૦૮ દ્રારા હોસ્પિટલ પહોંચાડવામાં આવેલ.આ ગંભીર બનાવની એસ.પી. તપાસ કરે તેં જરુરી છે.અહેવાલ અતુલ શુક્લ દામનગર.
