Uncategorized

જશને ગદીર ઈદે મુબાહેલા અને આવનાર દિવસ મોહરમ શરીફ નિમિત્તે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો

જશને ગદીર ઈદે મુબાહેલા અને આવનાર દિવસ મોહરમ શરીફ નિમિત્તે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો

તા.16/8/2020 રવિવાર ના રોજ નૂરશાહી મોમીન પંચ ઇમામ બારગાહ મોટી મોમનાવાડ રાયખડ જમાલપુર વિસ્તારમાં જશને ગદીર ઈદે મુબાહેલા અને આવનારા દિવસમાં મોહરમ શરીફ નિમિત્તે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને માસ્ક વિતરણ રોગ પ્રતિકારક શક્તિ માટે આયુર્વેદિક ઉકાળા, હોમિયોપેથીની દવા જે રોગ પ્રતિકારક શક્તિનો કામ કરે છે. તે વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યો હતો અને કરોના (કોવિડ-19) માં તહેવારો નિમિત્તે ભીડ ભાડ ન કરવી અને સોશિયલ ડિસ્ટન્સ નો પાલન કરવો તે માટે માહિતી આપવામાં આવી હતી
તેમાં નૂરશાહી મોમીન પંચ જમાલપુર ના તમામ ટ્રસ્ટીઓ શ્રી મોમીન અસ્લમભાઇ ભાઈ શ્રી મોમીન સમીરભાઈ શ્રી મોમીન સાદીકભાઈ શ્રી મોમીન તકી ભાઈ શ્રી મોમીન મોહમ્મદભાઈ તથા હુસૈનની યંગ કમિટીના તમામ નવ જવાનો એ ભાગ લીધો અને મદદરૂપ થયા જેમાં નાવેદ ભાઈ સૈયદ (પીરાણા વાળા) સામાજિક કાર્યકર્તા એકવીટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક મેનેજર શ્રી મિલનભાઈ વાઘેલા અહેમદાબાદ મિત્ર ન્યુઝ પેપર અને નાઝે ઇન્શા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રીમતી શેખ શહેનાઝ બાનું રિપોર્ટર શ્રી ઇમરાન ખાન પઠાણ અને શ્રી જૂનેદ શેખ એપિક ફાઉન્ડેશન ના સભ્ય શ્રીમતી બીન્દુબેન. સહયોગ માનવસેવા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી પ્રવીણ વેગડા .સ્વપન દીપ ટ્રસ્ટના શ્રી પ્રમુખ કેતન ગુપ્તા પોલીસ સમન્વય ના પ્રમુખ શ્રી જય માડી પંકજભાઈ આ બધાએ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ બન્યા
આ કાર્યક્રમનું આયોજન શ્રી બુરહાનુદ્દીન કાદરી જે ઝરિયાએ દુઆ ના ફાઉન્ડર અને સામાજિક કાર્યકર્તા ની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો સ્વજન ની હાજરી સાથે આ કાર્યક્રમ સફળ રહ્યું

IMG-20200816-WA0059-2.jpg IMG-20200816-WA0060-1.jpg IMG-20200816-WA0061-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *