#VSSM સુરેન્દ્રનગર વિચરતી જાતિ પ્રમાણપત્ર
દુધરેજ સરાણીયા પરિવારો ને જાતિ પ્રમાણપત્ર ફળવાયા.
સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ તાલુકાના દુધરેજ ચુના ના ભઠ્ઠા પાસે વિચરતી અને વિમુક્ત જાતિ ઓ ના સરાણીયા પરિવારો ઝુંપડા બાંધીને રહે. તેઓ ને રહેણાક અર્થે પ્લોટ મળે તે માટે જાતિ પ્રમાણપત્ર ની જરુરિયાત ઉભી થઈ. સુરેન્દ્રનગર મામલતદાર કચેરી મા અરજી કરતા આ પરિવારો પાસે પુરતા પુરાવાઓ ના હોવાથી કલેક્ટર સાહેબ શ્રી ની સુચનાથી સુરેન્દ્રનગર સીટી મામલતદારશ્રી એ સ્થળ તપાસ કરીને એક જ દિવસ મા સુરેન્દ્રનગર સીટી મામલતદાર સુહાનીબેન કેલૈયા, નાયબ મામલતદાર ડી.કે.પ્રજાપતિ, મયુરભાઈ દવે, રેવન્યુ તલાટી બિનલબેન પટેલ ના હસ્તે જાતિ પ્રમાણપત્ર ફાળવવામાં આવ્યા હતા.
આ તકે વિચરતા સમુદાય સમર્થન મંચ ના હષઁદ કે.વ્યાસ હાજર રહ્યા હતા.
જાતિ પ્રમાણપત્ર મળતા આ પરિવારો ના ચહેરા પર આનંદ ની લાગણી પ્રસરી હતી.




