Uncategorized

અમરેલી જિલ્લામાં વધુ ૪ કોવિડ-૧૯ના પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૪૦૬* *૧૬ મૃત્યુ, ૨૪૫ ડિસ્ચાર્જ અને ૧૪૫ સારવાર હેઠળ*

*અમરેલી જિલ્લામાં વધુ ૪ કોવિડ-૧૯ના પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૪૦૬*

*૧૬ મૃત્યુ, ૨૪૫ ડિસ્ચાર્જ અને ૧૪૫ સારવાર હેઠળ*

અમરેલી, તા: ૩૦ જુલાઈ ૨૦૨૦

આજે તા. ૩૦ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૪ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. સાવરકુંડલાના રઘુવંશીપરાના ૬૧ વર્ષીય પુરુષ, અમરેલીના શેડુભારના ૫૮ વર્ષીય પુરુષ, અમરેલીના શેડુભારના ૭૬ વર્ષીય પુરુષ અને અમરેલીના જસવંતગઢના ૬૦ વર્ષીય પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવેલા છે.

હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આમ અમરેલી જિલ્લામાં ૧૬ મૃત્યુ, ૨૪૫ ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે તેમજ ૧૪૫ સારવાર હેઠળ છે. આજ સુધી કુલ ૪૦૬ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.

આપને કે આપની આજુબાજુમાં કોઈને પણ તાવ-શરદી-ખાંસી કે ગળામાં દુઃખાવા જેવા લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૨-૨૨૮૨૧૨ તથા ૮૨૩૮૦ ૦૨૨૪૦ અથવા રાજ્યની હેલ્પલાઇન ૧૦૪ કે કેન્દ્રની હેલ્પલાઇન ૧૦૭૫ ઉપર તાત્કાલિક જાણ કરવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આવી માહિતી છુપાવવી કે મોડી આપવી જોખમી સાબિત થઈ શકે છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *