*અમરેલી જિલ્લામાં વધુ ૬ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૯૨*
*૮ મૃત્યુ, ૪૩ ડિસ્ચાર્જ અને ૪૧ સારવાર હેઠળ*
અમરેલી, તા: ૨ જુલાઈ ૨૦૨૦
આજે તા. ૨ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૬ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. કોવિડ-૧૯ પોઝિટિવ દર્દીના સંપર્કમાં અમરેલીના સવજીપરા રોડ પરના ૨૫ વર્ષીય યુવાન, કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા લીલીયાના આંબાના ૩૧ વર્ષીય યુવાન, અમદાવાદ અને સુરતની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા અમરેલીના વાંકીયાના ૩૭ વર્ષીય મહિલા અને ૨૮ જુનના સુરતથી આવેલા અમરેલી રામપાર્ક સોસાયટીના એક કુટુંબના ૪૬ વર્ષીય પુરુષ, ૭ અને ૧૫ વર્ષીય પુત્રીઓના કોવિડ-૧૯ રિપોર્ટ્સ પોઝિટિવ આવ્યા છે.
હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આમ અમરેલી જિલ્લામાં ૮ મૃત્યુ, ૪૩ ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે તેમજ ૪૧ સારવાર હેઠળ છે. આજ સુધી કુલ ૯૨ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.
આપને કે આપની આજુબાજુમાં કોઈને પણ તાવ-શરદી-ખાંસી કે ગળામાં દુઃખાવા જેવા લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૨-૨૨૮૨૧૨ તથા ૮૨૩૮૦ ૦૨૨૪૦ અથવા રાજ્યની હેલ્પલાઇન ૧૦૪ કે કેન્દ્રની હેલ્પલાઇન ૧૦૭૫ ઉપર તાત્કાલિક જાણ કરવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આવી માહિતી છુપાવવી કે મોડી આપવી જોખમી સાબિત થઈ શકે છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756
