*અમરેલી જિલ્લામાં વધુ ૬ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૨૦૩*
*૧૫ મૃત્યુ, ૯૪ ડિસ્ચાર્જ અને ૯૪ સારવાર હેઠળ*
અમરેલી, તા: ૧૬ જુલાઈ ૨૦૨૦
આજે તા. ૧૬ જુલાઈના અમરેલી જિલ્લામાં બપોરે ૧૨ વાગ્યા પહેલા કોવિડ-૧૯ના વધુ ૬ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. બગસરાના ૪૨ વર્ષીય પુરુષ, ધારીના ૫૫ વર્ષીય મહિલા, લાઠીના કૃષ્ણગઢના ૪૦ વર્ષીય પુરુષ, બગસરાના ૪૫ વર્ષીય મહિલા, સાવરકુંડલા દોલતીના ૬૨ વર્ષીય પુરુષ અને જાફરાબાદના ૫૨ વર્ષીય મહિલાના કોવિડ-૧૯ના રિપોર્ટ પોઝિટિવ આવેલા છે.
હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આમ અમરેલી જિલ્લામાં ૧૫ મૃત્યુ, ૯૪ ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે તેમજ ૯૪ સારવાર હેઠળ છે. આજ સુધી કુલ ૨૦૩ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.
આપને કે આપની આજુબાજુમાં કોઈને પણ તાવ-શરદી-ખાંસી કે ગળામાં દુઃખાવા જેવા લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૨-૨૨૮૨૧૨ તથા ૮૨૩૮૦ ૦૨૨૪૦ અથવા રાજ્યની હેલ્પલાઇન ૧૦૪ કે કેન્દ્રની હેલ્પલાઇન ૧૦૭૫ ઉપર તાત્કાલિક જાણ કરવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આવી માહિતી છુપાવવી કે મોડી આપવી જોખમી સાબિત થઈ શકે છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
