*જવાહર નવોદય વિદ્યાલય અમરેલી ખાતે ધોરણ – ૧૧માં એડમિશન મેળવવા જોગ*
અમરેલી, તા: ૨૫ ઓગસ્ટ ૨૦૨૦
જવાહર નવોદય વિદ્યાલય અમરેલીમાં ધોરણ – ૧૧માં ખાલી જગ્યા ભરવા માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થી માહિતી મેળવવા તથા ઓનલાઇન ભરવા માટે https://www.nvsadmissionclasseleven.in પરથી માહિતી મેળવી શકે છે તેમજ ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. ઇચ્છુક વિદ્યાર્થીઓ ૩૧.૦૮.૨૦૨૦ સુધી ઑનલાઇન ફોર્મ ભરી શકે છે.વધુ માહિતી માટે વિદ્યાર્થી આચાર્ય જવાહર નવોદય વિદ્યાલય અમરેલીમાં સંપર્ક કરી શકે છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)


