સાવરકુંડલા સોરાષ્ટ્ર ની મુલાકાતે પધારેલ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ સાવરકુંડલા માનવ મંદિરની પૂજ્ય ભક્તિરામબાપુ અને માનવતાના મસીહા વ્યસન મુક્તિની મુહિમ ચલાવનાર સૂફી સંત પૂજ્ય પીરે તરિક્ત દાદાબાપુ કાદરી ફાતમી સહિતના સંતોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિત વિશ્વ માંગલમ બાડોદરા આશ્રમથી સોરાષ્ટ્ર ના અનેકો સંતોની મુલાકાતો લઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં એક ૧૦૦ થી વધુ આશ્રમ શાળા ઓ સ્થાપિત કરી દેશના આદિવાસી વિદ્યાર્થીઓને રમત ક્ષેત્રે ઇન્ટરનેશન સુધી પહોંચાડનાર પૂજ્ય માર્ગીયસ્મિતજી એ પૂજ્ય ભક્તિરામબાપુ માનવ મંદિરની માનવસેવા નિહાળી હતી. સાવરકુંડલા કબીરટેકરી સહિત અનેકો મહાત્માઓની મુલાકાત કરતા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજીનું ઉષ્મા ઠેર ઠેર ભર્યું સ્વાગત કરાયું હતું.
