Delhi

અનિલ ધરેએ નેશનલ કોન્ફરન્સમાંથી વિશ્વાસ ઉઠી જતા પાર્ટી છોડી

નવીદિલ્હી
અનિલ ધરે સોમવારે રાત્રે પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. તેઓ નેશનલ કોન્ફરન્સના જમ્મુ પ્રદેશના ઉપાધ્યક્ષ રહી ચુક્યા છે. પાર્ટી છોડીને તેમણે કહ્યું, “મને એ જણાવતા દુઃખ થાય છે કે નેશનલ કોન્ફરન્સનું નેતૃત્વ કાશ્મીરી પંડિતોના મુદ્દાને ભૂલી ગયું છે. આ વાત તાજેતરમાં સામે આવી છે જ્યારે પાર્ટી નેતૃત્વએ કહ્યું હતું કે કાશ્મીરી હિંદુઓના હિજરત માટે તત્કાલીન રાજ્યપાલ જગમોહન જવાબદાર છે. અનિલ ધરે કહ્યું કે ઓમર અબ્દુલ્લા (નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ)ના તાજેતરના નિવેદનો સાંપ્રદાયિક રંગ દર્શાવે છે અને હિન્દુઓ સામે પક્ષપાતની લાગણી અનુભવાય છે. ધરે કહ્યું કે આવા નિવેદનોને કારણે તેમનો નેશનલ કોન્ફરન્સમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાને લખેલા પત્રમાં તેમણે લખ્યું છે કે, “આ બધાને જાેતા મેં નેશનલ કોન્ફરન્સમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે અને તેથી હું ૩૦ વર્ષની સેવા કર્યા પછી પાર્ટીના પ્રાથમિક સભ્યપદની સાથે તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું.” અને બંને નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા હતા. રાણા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહના નાના ભાઈ અને ભૂતપૂર્વ ધારાસભ્ય જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાના રાજકીય સલાહકાર રહી ચૂક્યા છે. ૨૦૧૧થી તેઓ નેશનલ કોન્ફરન્સના પ્રદેશ અધ્યક્ષ પદ પર કબજાે જમાવી રહ્યા હતા. તેમણે કહ્યું, “આ એ હકીકતથી તદ્દન વિપરીત છે કે તે પાકિસ્તાન અને તેના તૈયાર માણસો છે, જેઓ હજુ પણ ખીણમાંથી કાશ્મીરી પંડિતોના હિજરત માટે જવાબદાર છે. આવા નિવેદનો અને મંતવ્યો કાશ્મીરી હિંદુઓમાં વિશ્વાસ જગાડતા નથી. જેમણે છેલ્લા ત્રણ દાયકા દરમિયાન સૌથી ખરાબ નરસંહાર, અત્યાચાર અને બરબાદીનો સામનો કર્યો છે.”જમ્મુમાં નેશનલ કોન્ફરન્સને વધુ એક ઝટકો લાગ્યો છે. વરિષ્ઠ નેતા અનિલ ધરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ધરે પક્ષના નેતૃત્વ પર ૧૯૯૦માં કાશ્મીરી પંડિતોની ખીણમાંથી હિજરત માટે ભૂતપૂર્વ ગવર્નર જગમોહનને કથિત રીતે જવાબદાર ઠેરવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે નેશનલ કોન્ફરન્સના તાજેતરના “કોમી નિવેદનો અને હિંદુઓ વિરુદ્ધ પક્ષપાત” સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *