નવી દિલ્હી
કૃષ્ણા નાગર એવોર્ડ લેવા માટે ૧૧ નવેમ્બરે જ દિલ્હી પહોંચી ગયો હતો. જાેકે, તેને જયપુર પરત ફરવું પડ્યું હતું. તેના પિતા સુનિલ નાગરે તેની માતાના મૃત્યુ વિશે ફોન પર જણાવ્યું ન હતું, માત્ર તેને ઘરે પરત ફરવાનું કહ્યું હતું. જ્યારે નાગર જયપુર પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તેની માતાનું નિધન થઈ ગયું છે. તેમણે કહ્યું કે, ડોક્ટરોએ મને ખાતરી આપી કે, મારી માતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને ત્યારબાદ જ હું ગુરુવારે દિલ્હી જવા રવાના થયો. પરંતુ ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. પડી ગયા પછી તેણી ક્યારેય ભાનમાં આવી શક્યા ન હતા. નાગર સિવાય, અન્ય ૧૧ ખેલાડીઓને શનિવારે ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો.રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના ખેલાડીઓને સ્પોર્ટ્સ એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ વર્ષે ૧૨ ખેલાડીઓને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અને ૩૫ ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. ખેલ રત્ન મેળવનાર ખેલાડીઓમાં પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ખેલાડી કૃષ્ણા નાગરનું નામ પણ સામેલ હતું, પરંતુ તે એવોર્ડ લેવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચી શક્યો ન હતો. દુઃખદ ઘટના બનતા નાગર પોતાના ઘરે પરત ફરવું પડ્યું હતું. નાગરે ટોક્યો પેરાલિમ્પિકમાં ધમાકેદાર પ્રદર્શન કરીને દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. કૃષ્ણા નાગરે બેડમિન્ટનની મેન્સ સિંગલ્સની જીૐ૬ ફાઇનલમાં હોંગકોંગના ચુ માન કાઈને હરાવ્યો હતો. અગાઉ, નાગરે ૨૦૧૯ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પેરા-બેડમિન્ટનમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે. નાગરે દુબઈમાં દુબઈ પેરા-બેડમિન્ટન ઈન્ટરનેશનલ ખાતે મેન્સ સિંગલ અને ડબલ્સમાં ગોલ્ડ જીતીને ટોક્યો પેરાલિમ્પિક્સ માટે ક્વોલિફાય કર્યું. તેમના અભિનયના કારણે તેમને ખેલ રત્ન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની માતાના અવસાનને કારણે તેઓ આ એવોર્ડ લઈ શક્યા ન હતા.


