Delhi

ભગવાન રામની વિવાદિત ડોક્યુમેન્ટ્રીની સ્ક્રીનિંગથી બબાલ

નવી દિલ્હી
યુનિવર્સિટી વહીવટીતંત્ર અનુસાર જાે કોઈ વિદ્યાર્થી નિયમનુ ઉલ્લંઘન કરે છે તો તેમના વિરુદ્ધ શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જેએનયુ વહીવટીતંત્રએ એ પણ સ્પષ્ટ કરી દીધુ હતુ કે આવા કોઈ પણ આયોજનની યુનિવર્સિટી વહીવટીતંત્ર પાસે ના તો મંજૂરી માગવામાં આવી છે અને ના પરવાનગી આપવામાં આવી છે. જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘનુ કહેવુ છે કે રામ કે નામ ડોક્યુમેન્ટ્રીની સ્ક્રીનિંગ જેએનયુની વિરાસતને બચાવવા માટે કરવામાં આવી છે. જેએનયુ વહીવટીતંત્રની પરવાનગી ના મળવા છતાં ગઈ રાતે આ ડોક્યુમેન્ટ્રીને બતાવવામાં આવી. હવે આ ડોક્યુમેન્ટ્રીને લઈને વિવાદ થઈ રહ્યો છે. આ ડોક્યુમેન્ટ્રીનુ નિર્દેશન આનંદ પટવર્ધને કર્યુ છે અને આ ડોક્યુમેન્ટ્રી અયોધ્યાના રામ મંદિર સાથે સંબંધિત છે.દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી એક વાર ફરીથી વિવાદોમાં છે. આ વખતે યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયન તરફથી બતાવવા વાળી એક ડૉક્યુમેન્ટરીને લઈને વિવાદ ઉભો થઈ ગયો છે. જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયન અને આઈસાએ જેએનયુ કેમ્પસમાં ગઈ રાતે ‘રામ કે નામ’ નામની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ કરી, જ્યારે યુનિવર્સિટી વહીવટીતંત્રએ આવા કોઈ પણ પ્રકારના કાર્યક્રમના આયોજન પર રોક લગાવી હતી. જેએનયુ વહીવટીતંત્રએ રોક લગાવતા કહ્યુ હતુ કે આવા કાર્યક્રમ અથવા ડોક્યુમેન્ટરીના પ્રદર્શનથી સાંપ્રદાયિક સૌહાર્દ બગડી શકે છે. વહીવટીતંત્રએ એ વિદ્યાર્થીઓને ફટકાર લગાવી છે જે આ ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગના કાર્યક્રમના આયોજનમાં સામેલ હતા.

Javaharlal-Nehru-Univarsity-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *