Delhi

કેનેડામાં ઓમિક્રોનના ૧૫ કેસ આવતા ભારતની ચિંતામાં વધારો

ન્યુદિલ્હી
હૈદરાબાદના આરજીઆઈ એરપોર્ટ ખાતે એક જ દિવસમાં ૭ મુસાફરો કોરોના પોઝિટિવ આવ્યા છે અને સૌને ્‌ૈંસ્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે. અત્યાર સુધીમાં ૧૨ આંતરરાષ્ટ્રીય મુસાફરો કોરોના સંક્રમિત આવ્યા છે જેમાંથી ૯ યુકે, ૧ સિંગાપુર, ૧ કેનેડા અને ૧ મુસાફર અમેરિકાથી ભારત પહોંચ્યો છે. કેનેડાથી આવેલો આ કેસ વધારે ચિંતાજનક છે કારણ કે, અત્યાર સુધી દક્ષિણ આફ્રિકી દેશોમાંથી આવેલા મુસાફરોને લઈ એલર્ટ મોડ આપવામાં આવી રહ્યું છે પરંતુ હવે જ્યારે કેનેડામાં પણ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે તો ભારતે વધુ સાવધ રહેવાની સ્થિતિ ઉદ્ભવી છે. દેશ અને દુનિયા માટે કોરોનાનો નવો ઓમિક્રોન વેરિએન્ટ નવી મુસીબત બની ગયો છે. કેનેડા ખાતે ઓમિક્રોન વેરિએન્ટના ૧૫ કેસની પૃષ્ટિ થઈ છે. આ સાથે જ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ત્યાં ફરી એક વખત કોરોના ખૂબ જ ખરાબ રીતે ફેલાઈ શકે છે. સાર્વજનિક સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે અને ત્યાંથી ભારતીયોની અવર-જવર પણ મોટા પ્રમાણમાં થતી રહે છે. તેવામાં આ ભારત માટે ચિંતાની મોટી વાત છે. બીજી બાજુ દેશમાં પહેલેથી જ કોરોનાનો એક કેસ નોંધાઈ ચુક્યો છે જે કેનેડાથી આવેલ છે.

Canada-Omicron.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *