Delhi

ખેડૂત પોતાની સરકાર કેમ નથી બનાવી શકતો ઃ ગુરનામસિંહ ચઢૂની

નવીદિલ્હી કિસાન સંઘના નેતાઓની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો અમૃતસરના સુવર્ણ મંદિરમાં શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા અને રસ્તામાં વિવિધ સ્થળોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુવર્ણ મંદિરના મુખ્ય દ્વાર પર પહોંચતા, વિવિધ રાજકીય સંગઠનો અને એનજીઓ દ્વારા ખેડૂત આગેવાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી છે. ગુરનામ ચઢૂનીએ ‘સંયુક્ત સંઘર્ષ પાર્ટી’ના નામથી નવી પાર્ટી બનાવી છે. ગુરનામ સિંહએ કહ્યું કે દેશમાં પાર્ટીઓની કમી નથી, પરંતુ આજે દેશમાં પરિવર્તનની જરૂર છે. આ પક્ષોએ રાજકારણને ધંધો બનાવી દીધો છે. રાજનીતિમાં પરિવર્તન લાવવા, રાજનીતિને શુદ્ધ કરવા માટે અમે અમારી નવી સેક્યુલર પાર્ટી ‘સૂક્ત સંઘર્ષ પાર્ટી’ શરૂ કરી રહ્યા છીએ. સંયુક્ત સંઘર્ષ પાર્ટીનો ઉદ્દેશ્ય પૈસાવાળા લોકોને રાજકારણમાંથી બહાર કાઢવાનો છે. આ સાથે તેમણે મિશન પંજાબ અંતર્ગત પોતાની નવી પાર્ટી વિશે માહિતી આપી હતી. ચઢૂનીએ ખેડૂતોને મિશન પંજાબ હેઠળ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ પંજાબના ખેડૂતો તેમના ર્નિણય સાથે એકમત ન હતા. ચઢૂનીએ તેમના મિશન પંજાબ હેઠળ ફતેહગઢ સાહિબની મુલાકાત દરમિયાન ઉમેદવારની પણ જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોરચા પંજાબમાં ચૂંટણી લડવાના તેમના ર્નિણય સાથે સહમત ન હોવા છતાં, ચઢૂની તેમના ર્નિણય પર અડગ રહ્યા. પંજાબમાં ચૂંટણી લડવાની જાહેરાત હેઠળ ગુરનામ સિંહે એમ પણ કહ્યું છે કે તેઓ હરિયાણા છોડીને પંજાબ ભાગશે નહીં. તેઓ પંજાબમાં મિશન પંજાબ હેઠળ ચૂંટણી લડશે નહીં, પરંતુ તેમને ચૂંટણી લડાવશે. હરિયાણા સાથે સંબંધ હોવાના સવાલ પર તેમણે કહ્યું કે તેમનું પૈતૃક ગામ પંજાબમાં છે. સંયુક્ત કિસાન મોરચા પંજાબમાં ચૂંટણી લડવાના તેમના ર્નિણય સાથે સહમત નથી. જેના કારણે ચઢૂની સમયાંતરે અન્ય ખેડૂત આગેવાનોને ટોણા મારતા રહે છે. ચઢૂની કહે છે કે ખેડૂત પોતાની સરકાર કેમ નથી બનાવી શકતો.

gurnam-singh-chaduni-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *