Delhi

તિહાર જેલમાં ૮ દિવસમાં ૫ કેદીઓના મોતથી ચકચાર

,નવીદિલ્હી
રાજધાની દિલ્હીની તિહાર જેલમાં, એક કેદી પર તેમના વોર્ડમાં વાળ કાપતી વખતે અન્ય બે કેદીઓ દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના ૧૦ ડિસેમ્બરે તિહારની સેન્ટ્રલ જેલ નંબરની અંદર બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે બે કેદીઓ તેમના વોર્ડમાં એક વાળંદ દ્વારા તેમના વાળ કપાવી રહ્યા હતા ત્યારે અચાનક અન્ય કેદીએ વાળંદની કાતર વડે હુમલો કર્યો. જેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઝઘડા દરમિયાન પીડિતા અને હુમલાખોરોમાંથી એક ઘાયલ થયો હતો. જેલના કર્મચારીઓએ તરત જ તેને અલગ કરી દીધો. બંને કેદીઓની ઇજાઓ ગંભીર નહોતી. ઘાયલ કેદીઓને સારવાર માટે દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓને તે જ દિવસે રજા આપવામાં આવી હતી.તિહાર જેલમાં વધુ એક કેદીનું મોત થયું હતું. કેદીની તબીયત સારી નહોતી. કેદીના મૃત્યુ બાદ ઝ્રિઁઝ્ર કલમ ૧૭૬ હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ૮ દિવસમાં તિહાર જેલમાં આ પાંચમું મોત છે. પોલીસના જણાવ્યા અનુસાર પાંચેય કેદીઓના મોત કુદરતી મૃત્યુ હોવાનું જણાય છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર તિહાર જેલ નંબર-૩માં એક કેદીના મોતનો મામલો સામે આવ્યો છે. તે તેના સેલમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે મેજિસ્ટ્રેટ તપાસ ચાલી રહી છે. છેલ્લા ૮ દિવસમાં તિહાર જેલમાં ૫ મોત થતા ચકચાર મચી ગઇ છે. ડીજીએ જણાવ્યું કે તમામ ૫ મૃત્યુ અલગ-અલગ જેલોમાં થયા છે. કોઈપણ કેદીનું મૃત્યુ હિંસા સાથે સંબંધિત નથી. આ બધાના મૃત્યુનું કારણ કોઇને કોઇ રોગ અથવા અન્ય અજાણ્યા કારણ તરફ નિર્દેશ કરે છે. દરેક કેસમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા નિયમ મુજબ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મૃતક કેદીનું નામ વિક્રમ ઉર્ફે વિકી જણાવવામાં આવી રહ્યું છે, જે જેલ નંબર ત્રણમાં બંધ હતો. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકના શરીર પર કોઈ ઈજાના નિશાન જાેવા મળ્યા નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે. દિલ્હીની તિહાડ જેલને દેશની સૌથી સુરક્ષિત અને આરામદાયક જેલ માનવામાં આવે છે, પરંતુ છેલ્લા ૮ દિવસમાં ૫ કેદીઓના મોતથી ખળભળાટ મચી ગયો છે. તે જ સમયે, જેલના સૂત્રોનું કહેવું છે કે વહીવટીતંત્ર આને લઈને ચિંતિત છે કે કેદીઓ કેમ મરી રહ્યા છે. જાે કે મોતનું કારણ ઠંડી હોવાનું કહેવાય છે. જાે કે, જેલમાં કેદીઓને ઠંડીથી બચાવવા માટે સેલ અને બેરેકના દરવાજા પર પારદર્શક પ્લાસ્ટિક લગાવવામાં આવ્યું છે. જેલ પ્રશાસન દ્વારા કેદીઓની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી રહી છે.

Tihar-Jail-Delhi-Delhipolice-One-More-Prison-Death-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *