Delhi

દિલ્હીમાં ઝિમ્બાબ્લેના પ્રવાસીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો

નવીદિલ્હી
દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટ અંગે કેન્દ્ર સરકારે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડી હતી. ૧ ડિસેમ્બરથી જારી કરાયેલ માર્ગદર્શિકામાં, જાેખમવાળા દેશોમાંથી આવતા તમામ પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર પરીક્ષણ કરવું અને અન્ય દેશોમાંથી આવતા બે ટકા લોકોનું રેન્ડમ ધોરણે પરીક્ષણ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. આમ છતાં દેશમાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.દિલ્હીમાં ઓમિક્રોનનો બીજાે મામલો સામે આવ્યો છે. માહિતી અનુસાર, ઝિમ્બાબ્વેથી આવેલા મુસાફરનો જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દર્દીને કોરોના રસીના બંને ડોઝ લીધા છે. વિદેશમાંથીઆવેલા ૨૭ શંકાસ્પદ દર્દીઓને એલએનજેપીમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ શંકાસ્પદ દર્દીઓની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૫નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે ઓમિક્રોન દ્વારા બે લોકોના સેમ્પલની પુષ્ટિ કરવામાં આવી છે.દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ કર્ણાટકમાં નોંધાયો હતો. રાજસ્થાનમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનની ઝપેટમાં આવેલા વ્યક્તિના સંપર્કમાં આવેલી એક મહિલા દિલ્હીમાં સંક્રમિત મળી આવી છે. તેમને લોક નાયક જય પ્રકાશ નારાયણ (ન્દ્ગત્નઁ) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારે એક અધિકારીએ જણાવ્યું કે મહિલા ગુરુવારે સંક્રમિત મળી આવી હતી. તે ક્યાંય વિદેશ પ્રવાસે ગઈ નથી. તેના પરિવારના ૧૭ લોકો પણ ક્વોરેન્ટાઈનમાં છે.

Indian-Omicron-cases.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *