Delhi

દેશમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે

નવીદિલ્હી
તેલંગાણાના હૈદરાબાદમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના બે કેસ મળી આવ્યા હતા. હૈદરાબાદમાં નવા મળી આવેલા ઓમિક્રોન દર્દીઓમાં ૨૪ વર્ષીય કેન્યાના નાગરિક અને સોમાલિયાના નાગરિકનો સમાવેશ થાય છે. તેલંગાણા સરકારના પબ્લિક હેલ્થ ડાયરેક્ટર શ્રીનિવાસ રાવે આ માહિતી આપી છે. સંક્રમિતોમાં એક પુરુષ અને એક સ્ત્રીનો સમાવેશ થાય છે. આ પુરુષ સોમાલિયાનો છે જ્યારે મહિલા કેન્યાની રહેવાસી છે. બંને સંક્રમિતોને ટ્રેક કરવામાં આવ્યા હતા. બ્રિટનમાં કોવિડ -૧૯ ના ૭૮,૬૧૦ નવા કેસ જાેવા મળ્યા, જે દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. કોરોના વાયરસના ડેલ્ટા સ્વરૂપની સાથે, ઓમિક્રોન સ્વરૂપ પણ ચેપના નવા કેસ માટે મુખ્યત્વે જવાબદાર છે. અગાઉ, ૮ જાન્યુઆરીએ બ્રિટનમાં સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા હતા. તે સમયે ૬૮,૦૫૩ નવા કેસ મળી આવ્યા હતા.વિશ્વભરમાં મોટા પાયે લોકોને આપવામાં આવતી ચાઈનીઝ રસી સિનોવાક બાયોટેક ઓમિક્રોન સામે અસરકારક નથી. તે ઓમિક્રોન વેરિઅન્ટને બેઅસર કરવા માટે પૂરતી એન્ટિબોડીઝ પ્રદાન કરતું નથી. હોંગકોંગના વૈજ્ઞાનિકોએ તેમની લેબમાં થયેલા સંશોધનના આધારે આ વાત કહી છે. ભારતમાં ગુરુવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭,૯૭૪ નવા કેસ નોંધાયા છે, જે બુધવારના રોજના કેસ કરતાં ૧૪.૨ ટકા વધુ છે. મૃત્યુની સંખ્યામાં પણ વધારો થયો છે. જ્યાં બુધવારે એક દિવસમાં ૨૪૭ મોત થયા હતા, ત્યાં ગુરુવારે સવારે ૩૪૩ મોત નોંધાયા છે. મંગળવારે સવારે, એક દિવસમાં મૃત્યુની સંખ્યા ૨૫૨ હતી. તે જ સમયે, છેલ્લા ૨૪ કલાકમાં કેસની કુલ સંખ્યા વધીને ૩,૪૭,૧૮,૬૦૨ થઈ ગઈ છે. સક્રિય કેસ ૮૭,૨૪૫ છે. જે બાદ કુલ રિકવરી વધીને ૩,૪૧,૫૪,૮૭૯ થઈ ગઈ છે. ૩૪૩ લોકોના મોત બાદ દેશમાં કુલ ૪,૭૬,૪૭૮ લોકોના મોત થયા છે. જાે રસીકરણની વાત કરીએ તો કુલ ૧,૩૫,૨૫,૩૬,૯૮૬ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. બીજી તરફ, મહારાષ્ટ્ર ઓમિક્રોનથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે, જ્યાં અત્યાર સુધીમાં કુલ ૩૨ કેસ મળી આવ્યા છે. તે જ સમયે, રાજસ્થાન ૧૭ કેસ સાથે બીજા સ્થાને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *