Delhi

મુંબઇની મેડિકલ કોલેજના બંને રસી લીધેલા બાદ પણ વિદ્યાથીઓને કોરોના

નવી દિલ્હી
દેશભરમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં ૪,૪૮,૦૬૨ લોકોના મોત નિપજ્યા છે. જેમાં માત્ર મહારાષ્ટ્રના જ ૧,૩૯,૦૧૧ કેસો છે. દરમિયાન મુંબઇના કેઇએમ હોસ્પિટલમાં ૩૦ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે સમગ્ર હોસ્પિટલમાં દર્દીઓથી લઇને ડોક્ટરોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જે વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમને સારવાર અપાઇ રહી છે.છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૨૩,૫૨૯ કેસો સામે આવ્યા હતા. જ્યારે વધુ ૩૧૧ લોકોના મોત નિપજ્યા હતા. બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૨,૭૭,૦૨૦એ પહોંચી ગઇ હતી જે છેલ્લા ૧૯૫ દિવસમાં સૌથી નીચી છે. દરમિયાન કુલ મૃત્યુઆંક વધીને ૪,૪૮,૦૬૨એ પહોંચ્યો હતો. રીકવરી રેટ પણ ૯૭.૮૫ ટકાએ પહોંચ્યો હતો. બીજી બાજુ મુંબઇની એક મેડિકલ કોલેજના ૩૦ વિદ્યાર્થીઓને કોરોના થયો છે. જેમાંથી ૨૮ વિદ્યાર્થીઓએ કોરોનાની બંને વેક્સિન લઇ લીધી હતી. કેન્દ્ર સરકાર દ્વારા જારી આંકડા અનુસાર ભારતમાં જેટલા પણ પુખ્ત વયના છે તેમાંથી ૬૯ ટકા વસતીએ કોવિડ રસીનો એક ડોઝ લઇ લીધો છે. જ્યારે ૨૫ ટકા પુખ્ત વયનાએ રસીના બન્ને ડોઝ લઇ લીધા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચીવ રાજેશ ભુષણે કહ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના રસીના ૬૪.૧ ટકા ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં ૩૫ ટકા ડોઝ આપવામાં આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસને કારણે ૩૧૧ લોકોના મોત નિપજ્યા હતા, જેમાં ૧૫૫ કેસો માત્ર કેરળ રાજ્યના છે જ્યારે ૪૯ કેસો મહારાષ્ટ્ર રાજ્યના છે.

Corona-virus-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *