Delhi

વડાપ્રધાન મોદીએ ગોરખપુરને ૯૬૦૦ કરોડની ભેટ આપી

નવી દિલ્હી
વડાપ્રધાન મોદી ગોરખપુરમાં ૧૧૨ એકર ક્ષેત્રમાં ફેલાયેલી છૈંૈંસ્જીનું પણ ઉદ્ધાટન કર્યુ. વર્ષ ૨૦૧૬માં ઁસ્ મોદીએ તેનો શિલાન્યાસ કર્યો હતો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પૂણેની સમકક્ષ, ૈંઝ્રસ્ઇ નું પ્રાદેશિક કેન્દ્ર પણ મ્ઇડ્ઢ મેડિકલ કોલેજ, ગોરખપુરમાં પૂર્ણ થયું છે. મોદીએ કહ્યું, આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યાં યુરિયા ૬૦-૬૫ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. તે જ સમયે, યુરિયા પણ ભારતમાં સસ્તું વેચાઈ રહ્યું છે. એ જ રીતે ભારત ખાદ્યતેલ ખરીદવા માટે કરોડો રૂપિયા વિદેશમાં મોકલે છે. ભારત કાચા તેલ પર પણ ૫-૭ લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. અમે ઇથેનોલ અને બાયોફ્યુઅલ પર ભાર મૂકીને આ માટે પ્રયાસ કરી રહ્યા છીએ. ઉત્તર પ્રદેશમાં બાયોફ્યુઅલ બનાવવા માટે ઘણી ફેક્ટરીઓમાં કામ ચાલી રહ્યું છે.નરેન્દ્ર મોદીએ આજે ગોરખપુરને કરોડો રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી છે. ઁસ્ લગભગ ૯,૬૦૦ કરોડના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. આ પ્રોજેક્ટ્‌સમાં સૌથી મહત્વપૂર્ણ ગોરખપુરની ખાતર ફેક્ટરી છે, જેની કુલ કિંમત ૮૬૦૩ કરોડ છે. આ સિવાય ઁસ્ મોદીએ ગોરખપુરમાં છૈંૈંસ્જી અને ઇસ્ઇઝ્રના ટેસ્ટિંગ સેન્ટરનું પણ ઉદ્‌ઘાટન કર્યું. મોદીએ ગોરખપુરની ખાતર ફેક્ટરીનું ઉદ્ધાટન કર્યુ તે ૬૦૦ એકર વિસ્તારમાં બનેલી ખાતર ફેક્ટરીમાં ૧૨ લાખ મેટ્રિક ટનથી વધુ યુરિયાનું ઉત્પાદન કરશે. ઁસ્ નરેન્દ્ર મોદીએ ૨૦૧૬માં ખાતરની ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો હતો અને આ ફેક્ટરી નિર્ધારિત સમયમર્યાદામાં તૈયાર થઈ ગઈ છે. મોદીએ લગભગ ૬૦૦ એકર વિસ્તારમાં હિન્દુસ્તાન ફર્ટિલાઇઝરના નામે બનેલી આ ફેક્ટરીને આજે રાષ્ટ્રને સમર્પિત કરી. જેમાં ૧૨ લાખ મેટ્રિક ટનથી વધુ યુરિયાનું ઉત્પાદન થશે. આનાથી આ વિસ્તારના ખેડૂતોને ફાયદો તો થશે જ, સાથે સાથે રોજગારીની સંભાવનાઓને આગળ વધારવામાં પણ તે મોટી ભૂમિકા ભજવશે.

PM-Narendra-Modi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *