Delhi

એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી ભારતીય વાયુસેનાના વડા તરીકે નિયુક્ત

નવી દિલ્હી
નેશનલ ડિફેન્સ એકેડેમીના પૂર્વ વિદ્યાર્થી અને એર ચીફ માર્શલ ચૌધરી ૨૯ ડિસેમ્બર, ૧૯૮૨ ના રોજ ભારતીય વાયુસેનામાં જાેડાયા હતા. લગભગ ૩૮ વર્ષની કારકિર્દીમાં, તેમણે ભારતીય વાયુસેનાના વિવિધ પ્રકારના ફાઇટર અને તાલીમ વિમાનો ઉડાવ્યા છે. તેમની પાસે મિગ -૨૧, મિગ -૨૩ એમએફ, મિગ -૨૯ અને સુખોઈ -૩૦ એમકેઆઈ ફાઇટર જેટમાં ૩,૮૦૦ કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. જી-૪૦૦ જેવી આધુનિક સંરક્ષણ પ્રણાલીના સંચાલન માટે પણ જવાબદાર રહેશે, જે ટૂંક સમયમાં વાયુસેના (ૈંછહ્લ) નો ભાગ બનશે. તેઓ ટૂંક સમયમાં ભારતીય વાયુસેનામાં સ્વદેશી અને વિદેશી મૂળના વિમાનો મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આરએસ ચૌધરી પણ ભારતીય વાયુસેનામાં રાફેલને સામેલ કરવા પાછળ તેમને પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે અંબાલા એરબેઝ વેસ્ટર્ન એરફોર્સ કમાન્ડરના આદેશ હેઠળ હતું. તેમણે ઓપરેશન મેઘદૂત અને ઓપરેશન સફેદ સાગર (૧૯૯૯ માં કારગિલ સંઘર્ષ દરમિયાન ૈંછહ્લ દ્વારા પૂરી પાડવામાં આવેલ સહાય) દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી.નવા ૈંછહ્લ ચીફ, ચૌધરીએ વાયુસેનાના વેસ્ટર્ન એર કમાન્ડ (ઉઝ્ર) ના કમાન્ડર-ઇન-ચીફ તરીકે પણ સેવા આપી છે. આ કમાનની જવાબદારી સંવેદનશીલ લદાખ ક્ષેત્ર (ન્છઝ્ર) તેમજ ઉત્તર ભારતના અન્ય ભાગોમાં દેશના હવાઈ ક્ષેત્રની સુરક્ષાની છે. આ સ્થિતિમાં, ફઇ ચૌધરી નવા એર ચીફ બન્યા બાદ ચીન સાથેના સંબંધોમાં થોડો સુધારા થવાની અપેક્ષા છે. નિવૃત્તિ પહેલાં, વિદાય લેનારા વાયુસેના પ્રમુખ આર.કે.એસ. ભદૌરિયાએ આજે દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી.

V-.R-.-Chaudhri-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *