Delhi

દિલ્હીના પ્રદૂષણથી લોકો ઘરમાં પણ માસ્ક પહેરે છે ઃ સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી,
સુપ્રીમ કોર્ટે પ્રદૂષણના વધતા સ્તર પર ચિંતા વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાને કહ્યુ કે પ્રદૂષણનુ સ્તર ઘણુ ખરાબ થઈ ગયુ છે. લોકો પોતાના ઘરમાં માસ્ક પહેરીને બેઠા છે. કેન્દ્ર સરકાર તરફથી પ્રદૂષણને રોકવા માટે હજુ સુધી શુ પગલા ઉઠાવવામાં આવ્યા. ઝ્રત્નૈંએ કેન્દ્ર સરકારને પૂછ્યુ કે પરાલીને લઈને શુ પગલા ઉઠાવવામાં આવ્યા છે આની પર કેન્દ્ર તરફથી કોર્ટમાં ચાર્ટ રજૂ કરવામાં આવ્યો. જેમાં પ્રદૂષણને લઈને ઉઠાવવામાં આવેલા પગલાની જાણકારી સુપ્રીમ કોર્ટને આપવામાં આવી. કોર્ટે પરાલી હટાવવા અને સબસિડીને લઈને સૉલિસિટર જનરલની જાણકારી માંગી. ખેડૂતોને શુ નુકસાન છે તે પૂછ્યુ?દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનો કહેર જારી છે. આ દરમિયાન શનિવારે સુપ્રીમ કોર્ટમાં પ્રદૂષણને મુદ્દે પર સુનાવણી થઈ રહી છે. આ દરમિયાન સીજેઆઈ એનવી રમન્નાએ કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યુ કે આપ માત્ર ખેડૂતોને પ્રદૂષણ માટે જવાબદાર ઠેરવી રહ્યા છે પરંતુ આ માત્ર ૪૦% છે. દિલ્હીના લોકો પર નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે આપે શુ પગલા ઉઠાવ્યા? વાહનથી ફેલાનારા પ્રદૂષણ અને ફટાકડાને લઈને શુ? સુનાવણી શરૂ થયા બાદ દિલ્હી સરકાર તરફથી રજૂ વકીલ રાહુલ મેહરાએ સોગંદનામા મોડાઈ માટે બેન્ચે માફી માંગી. આની પર સીજેઆઈએ કહ્યુ, કંઈ વાંધો નહીં ઓછામાં ઓછુ કંઈક વિચાર તો છે. કેન્દ્ર સરકાર તરફથી જીય્ તુષાર મહેતાએ કહ્યુ કે અમે પણ ડિટેલ સોગંદનામામાં દાખલ કરી દીધી છે.

Delhi-Holiday-in-pollution-Work-from-home.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *