Delhi

દિલ્હીની દાદાગીરી બંધ થવી જ જાેઈએ ઃ મમતા બેનર્જી

પણજી
ગોવા વિધાનસભાની આગામી વર્ષે યોજાનારી ચૂંટણી અંગે તેમણે કહ્યું હતુ કે તેમનો પક્ષ રાજ્યની તમામ ચાલીશે ચાલીશ બેઠકો ઉપર ચૂંટણી લડનાર છે.’અમે ઇચ્છીએ છીએ કે, પ્રાદેશિક પક્ષો બળવાન જ થવા જાેઈએ. અમે માનીએ છીએ કે સમવાયતંત્ર વ્યવસ્થા મજબૂત થવી જ જાેઈએ. આપણે રાજ્યોને બળવાન કરવા જાેઈએ. જાે રાજ્યો બળવાન હશે તો જ કેન્દ્ર પણ બળવાન બનશે.’ આમ છતા કેન્દ્રનું એકાધિકારવાદી વલણ હોવું ન જાેઈએ. ‘દિલ્હી કા દાદાગીરી અમકા નકા’ (અમને દિલ્હીની દાદાગીરી સ્વીકાર્ય નથી.) તેમ કહેતા તેઓએ જણાવ્યું હતું કે બસ! હવે બહુ થયું . જયારે તેઓને તેમ પુછવામાં આવ્યું કે, કોંગ્રેસે કેવા ર્નિણયો લેવા જાેઈએ ? ત્યારે તેના જવાબમાં દીદીએ જણાવ્યું કે ઃ હું કોંગ્રેસ વિષે કશું કહી ન શકું. કારણ કે તે મારો પક્ષ નથી. મેં તો કોઈનાએ કોઈ પ્રકારના ટેકા સિવાય જ મારો પ્રાદેશિક પક્ષ સ્થાપી દીધો છે અને રાજ્યમાં ત્રણ વખત સરકારો પણ રચી છે. તેઓને ર્નિણય લેવાના છે, આ મારી કાર્યપદ્ધતિ પણ છે. હું અન્ય રાજકીય પક્ષોની કાર્યવાહીમાં માથું મારતી નથી પરંતુ અમે ભાજપ સમક્ષ તો માથું નહીં જ નમાવીએ.’તૃણમુલ કોંગ્રેસનાં સર્વે સર્વા મમતા બેનર્જીએ શનિવારે સ્પષ્ટ જણાવ્યુ હતું કે કોંગ્રેસ રાજકારણને ગંભીરતાથી લેતી નથી તેથી નરેન્દ્ર મોદી વધુ ને વધુ બળવાન થતા જશે. આ સાથે તેઓએ આ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી વિષે પણ ટીકા કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ર્નિણયો નથી લઈ શકતી તેથી દેશને જ સહન કરવું પડે છે. ગોવાની ત્રિદિવસીય મુલાકાતના છેલ્લા દિવસે મિડીયાને કરેલા સંબોધનમાં દીદીએ કહ્યું હતું કે હું આ તબક્કે તો વધુ કહી શકું તેમ નથી. કારણ કે તેઓ (કોંગ્રેસ) રાજકારણને ગંભીરતાથી લેતા જ નથી. મોદીજી કોંગ્રેસને લીધે જ વધુ ને વધુ બળવત્તર થતા જાય છે. પરંતુ કોઇ ર્નિણયો ન લઇ શકે તો દેશે શા માટે સહન કરવું પડે ?’ તેમને (કોંગ્રેસને) (ભૂતકાળમાં) તક મળી જ હતી. પરંતુ ભાજપ સામે લડવાને બદલે તેઓ મારી સાથે જ લડવા લાગ્યા અને તે પણ મારાં જ રાજ્યમાં. તમો એમ ન માનતા કે તેઓ મારી સામે લડતા હા. તેઓ વાસ્તવમાં મારા પક્ષ સામે જ બંગાળમાં લડતા હતા.’ તેમ પણ દીદીએ કહ્યું હતું.

Mamta-banarjee.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *