સોલા
આરટીઆઇ હેઠળ ગ્રાહક સુરક્ષા કાર્યકર સુચિત્રા પાલે કરેલી અરજીના જવાબમાં આ માહિતી અપાઈ હતી. જાે કે સોલા સિવિલ હોસ્પિટલને બાદ કરતા બાકીની ત્રણ હોસ્પિટલોએ દર્દી દીઠ થયેલા ભોજનખર્ચનો આંકડો આપ્યો નહોતો. સોલા સિવિલમાં ૧૫ મહિનાના ગાળામાં ૧૯,૫૭૭એ સારવાર લીધી હતી અને તેમની પાછળ રૂ. ૯૯,૪૩,૩૭૫ ખર્ચ કર્યાનું ખુદ હોસ્પિટલે કહ્યું છે. કોરોનામાં ઓછામાં ઓછા ૭થી ૧૦ દિવસ દર્દી હોસ્પિટલમાં રહ્યા હતા. આ જાેતા સોલા સિવિલનો દર્દી દીઠ ભોજન ખર્ચનો રૂ.૯૬નો આંકડો આશ્ચર્યજનક છે. કારણ કે આ આંકડા પ્રમાણે ગણતરી કરીએ તો સોલા સિવિલે દરેક દર્દીને દિવસ દીઠ માત્ર ૯.૬ રૂપિયાનું ભોજન આપ્યું હતું. એસવીપી હોસ્પિટલે આ ૧૫ મહિનાના ગાળામાં કોરોના, હાર્ટ, તેમજ ટીબી સહિતની સારવાર માટે દાખલ થયેલા ૧૮,૩૫૬ દર્દી પાછળ કુલ રૂ. ૫.૫ કરોડનો ખર્ચ કર્યો હતો. આ ગણતરીએ હોસ્પિટલે દર્દી દીઠ ચા- નાસ્તો અને ભોજન પાછળ સરેરાશ રૂ ૨,૯૯૬ ખર્ચ કર્યો હતો. એલજી હોસ્પિટલે ૬,૪૩૫ દર્દી પાછળ કુલ રૂ. ૧૮ લાખ ખર્ચ્યા હતા. જ્યારે શારદાબેન હોસ્પિટલે ૧૯૮૦ દર્દી પાછળ કુલ રૂ. ૧.૨૨ લાખ ખર્ચ કર્યો હતો. ચારેય હોસ્પિટલના મેન્યુમાં બહુ મોટો તફાવત ન હતો પરંતુ સરેરાશ ખર્ચના આંકડા વચ્ચે મોટું અંતર જાેવા મળતું હતું. એસવીપી હોસ્પિટલે પ્રતિદર્દી સરેરાશ ૨૯૯૬ રૂપિયાનો ખર્ચ બતાવ્યો છે જ્યારે શારદાબેન હોસ્પિટલે સૌથી ઓછો પ્રતિ દર્દી સરેરાશ રૂ. ૬૩ ખર્ચ બતાવ્યો છે. સોલા સિવિલનો પ્રતિદર્દી આ ખર્ચ રૂ. ૫૦૮ છે જ્યારે એલજી હોસ્પિટલનો પ્રતિદર્દી આ ખર્ચ રૂ. ૨૯૩ છે. ચારેય હોસ્પિટલે કુલ મળીને ચા નાસ્તા અને ભોજન પાછળ કુલ રૂ. ૬.૬૯ કરોડનો ખર્ચ કર્યો હતો. આમ ચારેયના મળીને કુલ ૪૬,૩૪૮ દર્દીઓની ત્રિરાશી મુજબ પ્રતિ દર્દી રૂ. ૧૪૪૫નો ખર્ચ થયો કહેવાય.આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદની ચારેય હોસ્પિટલોના મેન્યુમાં સામેલ કરાયેલી વાનગીઓમાં ખાસ મોટો તફાવત નથી પણ બિલમાં મોટો હજારો રૂપિયાનો તફાવત છે.કોરોનાકાળમાં માર્ચ ૨૦૨૦થી મે ૨૦૨૧ દરમિયાન અમદાવાદની પ્રમુખ ચાર હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના ભોજન ખર્ચમાં ભારે વિસંગતતા જાેવા મળી છે. સોલા સિવિલે એક દર્દી દીઠ ભોજન ખર્ચ રૂ.૯૬ દર્શાવ્યો છે. પરંતુ કુલ ૧૯,૫૭૭ દર્દીઓનો ખર્ચ જાેતા આ આંકડો રૂ.૫૦૮ જેટલો થાય છે. આમ દર્દીઓ રૂ.૯૬નું જમ્યા પણ હોસ્પિટલ દર્દી દીઠ રૂ.૪૧૨ એટલે કે કુલ ૮૦ લાખ રૂપિયા ઓહિયા કરી ગઈ હોવાનો આરટીઆઇમાં ઘટસ્ફોટ થયો છે. આટલું ઓછું હોય તેમ સોલા સિવિલમાં દર્દી દીઠ રૂ.૯૬નો ભોજન ખર્ચ દર્શાવાયો છે તો બીજી તરફ એસવીપી હોસ્પિટલમાં દર્દી દીઠ ભોજન ખર્ચ રૂ.૨૯૯૬ જેટલો અધધ થયો છે. અમદાવાદમાં એસવીપી હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલ એમ ચાર હોસ્પિટલે કોરોનાની સારવાર માટે દાખલ થયેલા કુલ ૪૬,૩૪૮ દર્દીને ચા-નાસ્તો, ભોજન માટે અંદાજે ૬.૭૦ કરોડનો ખર્ચ કર્યો હતો.


