વિજયા દશમી ના પવિત્ર તહેવારે કઠલાલ નગરપાલિકા પરિવાર દ્વારા સુપ્રસિદ્ધ ખોડિયાર માતા ના મંદિરે કઠલાલ નગરજનો ની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સલામતી માટે માતાજીનું હવન કરવામાં આવ્યું અને વર્ષો ની પરંપરા મુજબ કઠલાલ નગરપાલિકા પ્રમુખે મુખ્ય યજમાન પદે અને સાથી સદસ્યો તથા નગરપાલિકા કર્મચારીઓ દ્વારા માઁ ખોડલ ને પાર્થના કરવામાં આવી.


