Gujarat

ગાંધીધામના મંદિરમાં દર્શન કરવા ગયેલ દલિત પરિવાર પર હુમલો કરાયો

ગાંધીધામ
દલિત પરિવાર પર જીવલેણ હુમલાની ઘટના ગઈ ૨૬ ઓક્ટોબર અને નેર ગામમાં આવેલા મંદિરની છે. જાે કે, આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. આ મામલે બે એફઆરઆઈ નોંધવામાં આવી છે. એક ફરિયાદ ગોવિંદ વાઘેલા અને બીજી તેમના પિતા જગાભાઈ દ્વારા નોંધાવામાં આવી હતી. બંનેનો આરોપ છે કે, અંદાજે ૨૦ લોકોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. ગુનેગારોને ઝડપી પાડવા પોલીસની આઠ ટીમ પણ બનાવવામાં આવી છે. પોલીસે ૨૦ લોકોનાં ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે.કચ્છ જિલ્લાના ગાંધીધામમાં આવેલા મંદિરમાં દર્શન કરવા ગયેલા દલિત પરિવારના ૬ લોકો પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. અંદાજે ૨૦ શખ્સોએ આ દલિત પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. આ ૨૦ લોકોમાં કાના આહિર, રાજેશ મહારાજ, કેસર રબારી, પબા રબારી અને કના કોલીનો સમાવેશ છે. તેઓ પર હત્યાનો પ્રયાસ, લૂંટ, હુમલો અને એસસી-એસટી એક્ટ હેઠળ કલમો લગાવવામાં આવી છે. બનાવની વિગત એવી છે કે, ગોવિંદ વાઘેલા તેમના પરિવાર સાથે ગઈ ૨૦ ઓક્ટોબરે નેરના રામ મંદિરમાં દર્શન કરવા ગયા હતા. એ સમયે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી ચાલી રહી હતી. ૨૬ ઓક્ટોબરે ગોવિંદ વાઘેલા તેમની દુકાને બેઠા હતા. તેમણે કરેલી ફરેલી ફરિયાદ મુજબ, કેટલાંક અજાણ્યા લોકોએ તેમના ખેતરમાં ઢોર છોડ્યા હતા અને ઊભા પાકને નુકસાન પહોંચાડ્યુ હતુ. જાણ થતા તેમના કાકા ગણેશ વાઘેલા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એ પછી આરોપીએ પાઈપ, ધોકા અને તિક્ષ્ણ હથિયારથી તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલો એટલા માટે કર્યો કારણ કે આ દલિત પરિવાર મંદિરમાં દર્શન કરવા માટે ગયો હતો. આરોપીઓએ તેમનો મોબાઈલ પણ ચોર્યો હતો અને તેમની રિક્ષાને પણ ભારે નુકસાન પહોંચાડ્યુ હતુ. એવો પણ આરોપ છે કે, આરોપીઓએ તેમની માતા બધીબેન, પિતા જગાભાઈ અને અન્ય બે સંબંધીઓ પર હુમલો કર્યો હતો. જે બાદ છ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *