જુનાગઢ
જૂનાગઢના કલેક્ટર રચિત રાજ દ્વારા જાહેરનામુ બહાર પાડીને જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે મુદ્દે આગામી સમયમાં ગાંધીનગરમાં પડઘા પડે તો નવાઈ નહીં.બીજી તરફ ભીખાભાઈ જાેશીએ કલેક્ટરના જાહેનામા અંગે પ્રતિક્રિયા આપીને જણાવ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ, ગેસના ભાવ, ખેડૂતોના પ્રશ્નો કે અન્ય કોઈ અરજદારોએને અધિકારી કે સરકાર તરફથી અન્યાય થયો હોય તો કોઈ આંદોલન નહીં ચલાવવાનું, ઉપવાસ પર નહીં બેસવાનું, ધરણા નહીં કરવાના જેવો ઉલ્લેખ જાહેરનામામાં કરાયો છે, એ સરકારની સરમુખત્યાર તરફ જતી માનસિકતા છતી કરે છે. આ રીતે લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ થતો હોય તેવું મેં પહેલીવાર જાેયું છે. જૂનાગઢના કલેક્ટર દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાને વિચિત્ર ગણાવીને તેની સામે વિરોધનો સૂર ઉઠવાનો શરુ થઈ ગયો છે અને લોકશાહીમાં લોકો પોતાની વાત રજૂ કરવા માટે જે રસ્તા અપનાવે છે તેના પર તરાપ મારવાની કોશિશો થઈ રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, જાહેરનામામાં ઓફિસની નજીકમાં જે ધરણા અને પ્રદર્શન કરવામાં આવે છે તેના પર કલેક્ટર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જૂનાગઢના કલેક્ટર દ્વારા જાહેરનામામાં વિરોધ પ્રદર્શન, ધરણા, ઉપરવાસ કે સૂત્રોચ્ચાર નહીં કરવા અંગે જણાવવામાં આવ્યું છે. સ્થાનિક ટીવી રિપોર્ટ્સ મુજબ પાછલી ૨૭મી તારીખે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા અને જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેશીએ વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે આ પ્રકારના જાહેરનામાથી લોકશાહીને હનન કરનારું ગણાવ્યું છે. આ જાહેરનામાનો વિરોધ કરીને કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ જણાવ્યું છે કે, “કલેક્ટરે જે જાહેરનામુ બહાર પાડ્યું છે, એવું અમે પહેલીવાર જાેયું, જેમાં ઉલ્લેખ કરાયો છે કે આવેદનપત્ર આપવું હોય તો કલેક્ટર ઓફિસ, પ્રાંત ઓફિસ, મામલતદાર ઓફિસથી ૨૦૦ મીટર દૂર રહેવું, આ લોકશાહી છે કે શું છે? તેમણે આગળ એવો પણ સવાલ ઉઠાવ્યો કે જાહેરનામામાં એવું જણાવાયું છે કે, ખેડૂતોએ વિરોધ કરવા ના આવવું.. નોકરીયાતોએ વિરોધ કરવા ના આવવું.. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ ના કરવો.. નુકશાનીના વળતર બાબતે વિરોધ ના કરવો.. જાહેરનામામાં આવો ઉલ્લેખ કરવામાં આવે?


