Gujarat

તામિલનાડુમાં થયેલા તોફાની વરસાદની અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે

અમદાવાદ
તામિલનાડુના ચેન્નાઈમાં થયેલા તોફાની વરસાદના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના લીધે રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શનિવારે અહીં ૨૧.૫૩ સેન્ટિમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે આ પહેલા ૧૬ નવેમ્બર ૨૦૧૫માં ૨૪.૬ સેન્ટિમીટર વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે મુખ્યમંત્રી એમકે સ્ટાલીન દ્વારા સરકારી કર્મચારીઓની રજા જાહેર કરી દેવામાં આવી છે. તેમણે આ પૂરની પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદી દ્વારા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ફંડ જાહેર કરીને રાજ્યને મદદ કરવામાં આવે તેવી માગણી કરી છે. તેમણે આશા છે કે આ પરિસ્થિતિમાં વડાપ્રધાન દ્વારા બનતી તમામ પ્રકારની મદદ કરવામાં આવશે. ગુજરાતમાં ઠંડી જામી રહી છે ત્યારે કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદી ઝાપટાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને રાજ્યના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા આગાહી પ્રમાણે રાજ્યના દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, ડાંગ, તાપી અને દાદરા નગર હવેલીની સાથે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકામાં વરસાદી માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ ઠંડીના ચમકારામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ માવઠાની આગાહીના કારણે ફરી એકવાર ખેડૂતો ચિંતિત થયા છે. રિપોર્ટ્‌સ મુજબ ખેડૂતોના તૈયાર થયેલા પાકને કમોસમી વરસાદથી નુકસાન ના પહોંચે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને જરુરી પગલા ભરવા માટેની સૂચના આપી હોવાનું પણ સામે આવ્યું છે. તૈયાર થયેલો પાક જે ખુલ્લામાં પડ્યો છે તેને નુકસાન ના થાય તે માટે તકેદારીના પગલા ભરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. માવઠાની આગાહી વચ્ચે બીલીમોરા, ગણદેવી સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદની છાંટા નોંધાયા હતા. આવામાં ખેડૂતોને ડાંગરના ઉભા પાકને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે.

rain-prediction-for-gujarat-farmers-not-happy.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *