જામનગરના દરેડ ગામે સરકારી જમીનમાં ખડકાયેલા રહેણાંક મકાનો દૂર કરવા તંત્રએ નોટિસ ફટકારી છે. આ સ્થિતિમાં આ જમીનમાં ગેરકાયદે રહેણાંક મકાનો બનાવી રહેતા આસામીએ રાજયમંત્રીને આવેદન પાઠવ્યું છે. જેમાં રહેણાંક મકાનો તોડાશે તો ૨૦૦૦ પરિવાર નોધારા બનશે. માટે એકમાત્ર આશરો ન છીનવવા વ્યાજબી ફી, દંડ વસૂલી નિયમિત કરી આપવા માંગણી કરી છે.
રહેવાસીઓએ કોંગ્રેસના આગેવાનો સાથે મંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, દરેડ ગામમાં રે.સ.નં.૧૩૧, ૧૩૨માં ન્યુ દરેડ નોન ટ્રેડીંગ કોર્પોરેશન (સુચિત)માં એક દાયકા કરતા વધુ સમયથી ગરીબ-શ્રમિક પરિવારો મકાનનું બાંધકામ કરી કુલ ૧૭૧ પ્લોટમાં બે હજારથી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે.
