કાર્યક્રમ મા ઉપસ્થિત માછીમાર આગેવાનો તેમજ બોટ માલિકો ને સાંપ્રત સમય મા પ્રદૂષણ તેમજ પ્લાસ્ટિક સમસ્યા બાબતે વિગતે માહિતી આપવામા આવી હતી. માછીમાર આગેવાનો એ પ્લાસ્ટિક બાબતે ગંભીર બની નક્કર આયોજન કરવા ચર્ચા કરવામા આવી હતી. આ કાર્યક્રમમા માંગરોળ ખારવા સમાજ ના પટેલ શ્રી પરસોતમભાઈ ખોરાવા, ખારવા સમાજ ના અગ્રણી તેમજ રાષ્ટ્રીય બંક્ષીપંચ મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી વેલજીભાઈ મસાણી, શ્રી મહાવીર મચ્છીમાર સહકારી મંડળી ના પ્રમુખ શ્રી દામોદરભાઈ ચામુડીયા, બોટ એશોસીએસન ના પ્રમુખ શ્રી બાબુભાઈ હોદાર, હોડી એશોસીએસન ના પ્રમુખ શ્રી જીતેશભાઈ ખોરાવા, શ્રી જમનાદાસ ભાઈ વંદુર , સંજયભાઈ ખેતલપાર તેમજ સમાજ ના આગેવાનો અને માછીમાર ભાઈઓએ હાજરી આપી હતી..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


