રાંચી રિમ્સમાં સારવાર કરાવી રહેલા આરજેડી પ્રમુખ લાલૂ યાદવની તબિયત અચાનક બગડી ગઈ છે. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે, એવું કહેવામાં આવી રહ્યું છે.
રિમ્સ નિર્દેશક ડોક્ટર કામેશ્વર પ્રસાદે કહ્યું કે, લાલૂ યાદવની અનેક રીતની તપાસ કરાવવામાં આવી છે.
તેમને જણાવ્યું, “એમ્સ દિલ્હીના વિશેષજ્ઞ ચિકિત્સકો સાથે વાત કરવામાં આવી છે. તેઓ અમારી સારવારની પેટર્નથી સંતુષ્ટ છે. તેથી હાલમાં ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. તેઓ ડોક્ટર સાથે વાત કરી રહ્યાં છે. તેમને અમારા સામે ચા પણ પીધી હતી. તે છતાં શુક્રવારે તેમની અન્ય તપાસ કરાવવામાં આવશે.”
જેલ આઈજી ડોક્ટર વીરેન્દ્ર ભૂષણે કહ્યું, “તબિયત ખરાબ થવાની સૂચના મળતા જ હું લાલૂ યાદવ જીને રિમ્સ જઈને મુલાકાત કરી છે. ડોક્ટર અનુસાર તેમની છાતીમાં ન્યૂમોનિયાના લક્ષણ જોવા મળ્યા છે.”
લાલૂ પ્રસાદ યાદવની કોરોના તપાસ કરાવવામાં આવેલા રેપિડ એન્ટીજન ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમનો આરટીપીસીઆર સેમ્પલ પણ લેવામાં આવ્યો છે. તેનો રિપોર્ટ શુક્રવાર સવારે આવવાની આશા છે.


