Gujarat

સુરતના પાંડેસરામાં રૂમમાંથી હત્યા કરાયેલી લાશ મળી

સુરત
સુરતની કમેલા સંજયનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા રિક્ષા ચાલક ઘરેથી મિત્રો પાસે બેસવા જવાનું કહીને નીકળેલા યુવાનને મોડી રાત્રે મૃતક હાલતમાં ઘરે લઇ આવ્યા બાદ પીએમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યુ હતું. રિક્ષા ચાલકની હત્યા કેસમાં પોલીસે હત્યાનો ગુનો નોધી મૃતકના મિત્રોની પૂછપરછ હાથ ધરી હતી.સુરતના પાંડેસરા વિસ્તારમાં લુખ્ખાતત્વો અને હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે. પાંડેસરા વિસ્તારમાં રૂમમાંથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા શ્રી રામ નગર પાસે રૂમમાંથી એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યા કરાયેલી લાશ મળતા પાંડેસરા પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે અજાણ્યા યુવકની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી છે. જાેકે, હજુ હત્યાનું કોઈ કારણ સામે આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *