Gujarat

જામનગરમાં ડ્રાયફ્રુટ-મુખવાસની અલગ અલગ વેરાઈટીની બોલબાલા

જામનગર
દિવાળીના મહાપર્વની આજથી શરૂઆત થઇ ગઇ છે. આજે ધનતેરસ છે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ અને કુબેરની પૂજા થાય છે. આ દિવસે સાંજે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા પણ કરવામાં આવે છે. ધન્વંતરિ અને કુબેરની ઉપાસના ભગવાન ધન્વંતરિ વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાનને પીળી વસ્તુ ગમે છે. એટલે કે ભગવાનને પિત્તળ અને સોનું અતિપ્રિય હોય છે. અને એટલા જ માટે આજના દિવસે સોનાની ખરીદીનું વિશેષ મહત્વ રહેલું છે. અને આ ખરીદીને શુભ માનવામાં આવે છે.મુખવાસ વગર દિવાળીનો તહેવાર અધુરો રહેતો હોય છે. ત્યારે સામાન્ય રીતે ૮થી૧૦ મુખવાસ બજારમાં જાેવા મળે છે. પરંતુ જામનગરની બજારોમા એક સાથે ૫૧ પ્રકારના મુખવાસ જાેવા મળે છે. અને જામનગરના આ મુખવાસ માત્ર સ્થાનિક બજારોમાં જ નહી, પરંતુ મુંબઈ, બેગલોર સહીતના મહાનગરોમા વેચાય છે. એમાં પણ આ વર્ષે દિવાળીના તહેવારોમા મુખવાસના વેચાણમાં ખુબ વધારો થયો છે. લોકો મુખવાસ લેવા માટે ઉમટી રહ્યાં છે. ડ્રાયફટ મુખવાસથી માંડી જામનીગરી મુખવાસ, કલકતી મુખવાસ સહીતના કુલ ૫૧ પ્રકારના મુખવાસ બજારમા વેચાયા છે. જેનો ભાવ ૨૫૦ રૂપિયાથી ૬૦૦ રૂપિયા કિલો વેચાય છે. ત્યારે ગૃહણીઓ હાલ તહેવારોને લઈ ભારે ઉત્સાહ સાથે મુખવાસની ખરીદી કરી રહ્યા છે. આ સિવાય પણ ધનતેરસ નિમિતે બજારમાં વાહનો, સોનાચાંદી અને ઘરગથ્થુ નાસ્તા, રંગોળી સહિતની ખરીદી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *