દાંતા NSUI દ્રારા પોલીસ કર્મી દ્રારા એમની વ્યાજબી માંગ જેવી કે પગાર ધોરણ વધારવું ,કામ ના કલાકો નક્કી કરવા ને સમર્થન આપવા માટે આજે મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપ્યુ અને દાંતા ખાતે આઝાદ ચોક માં માતાજી ના મંદિર ની બહાર યજ્ઞ કરવામાં આવ્યો જેથી સરકાર દિવાળી પહેલા કોરોના વોરિયર નું સાચું સન્માન મળે એ માટે યજ્ઞ કરવામાં આવ્યો.જેમાં NSUI જિલ્લા પ્રમુખ નીતિન પટેલ , જોધસર સરપંચ શ્રી અર્જુન સોલંકી, દાંતા તાલુકા NSUI પ્રમુખશ્રી ભવાનીસિંહ રાઠોડ , NSUI પાલનપુર પ્રમુખ શ્રી દેવરાજસિંહ ડાભી અને યુથ તાલુકા મહામંત્રી શ્રી મેહુલદાન ગઢવી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


