Gujarat

મજુરો ભરેલા વાહન પલટી ખાતા ૧૫ જેટલા ખેત મજુરો ઘાયલ થયા

ભાવનગર
સિહોરમાં રહેતા ૩૦ જેટલાં મજૂરો દરરોજના ક્રમ મુજબ આજે મંગળવારની સવારે મહિન્દ્રા પીકઅપ વાહનમાં બેસી વલભીપુર તાલુકાના મોણપુર ગામે ખેત મજૂરીએ જવા રવાના થયા હતા. દરમિયાન મહિન્દ્રા પીકઅપના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા વાહન રોડ સાઈડમાં પલ્ટી ખાઈ જતાં ૧૫ મજૂરોને નાનીમોટી ઈજા પહોંચી હતી. આથી ઈજાગ્રસ્તોને ૬થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે પ્રથમ સિહોર હોસ્પિટલ અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં સદભાગ્યે મોટી જાનહાની ટળી હતીભાવનગર જિલ્લાના સિહોરમાં આજે બુધવારે સવારે ૨૫થી ૩૦ જેટલાં ખેત મજૂરો મહિન્દ્રા પીકઅપ વાનમાં બેસી વલ્લભીપુર તાલુકાના મોણપુર ગામે ખેત મજૂરીએ જઈ રહ્યાં હતાં. તે સમયે વાહન રોડ સાઈડમાં અકસ્માતે પલ્ટી ખાઈ જતાં ૧૫ જેટલા ખેત શ્રમિકોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી, સદભાગ્યે મોટી જાનહાની ટળી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

truck-accident-at-bhavnagar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *