ગિરગઢડા
ભરત ગંગદેવ..
તા-૦૮/૧૨ /૨૦૨૧ ના તામિલનાડુ માં થયેલ હેલિકોપટર દુર્ઘટના માં શહીદ થયેલા ભારત ના CDS શ્રી બિપિન રાવત, શ્રી મધુલિકા રાવત તથા એમના સાથી શહીદ વિરજવાનોને યુવા કોળી સંગઠન ઉના તાલુકા દ્વારા વીર જવાનોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન ઉના ચંદ્રકીરણ સોસાયટીના બગીચામાં કરવામાં આવ્યો જેમાં ખુબ બહોળી સંખ્યામાં યુવાનો જોડાયા સાથે વંદે માતરમ ગાન સાથે કેન્ડલ પ્રગટાવી સલામી આપી હતી જેમાં યુવા કોળી સંગઠન પ્રમુખ અલ્પેશ બાંભણીયા સહિત ઉના નગરપાલિકા ઉપપ્રમુખ ચંદ્રેશ જોશી,મિતેષ શાહ, વિનોદ બાંભણીયા સહિત યુવા કોળી સંગઠનના યુવાનો જોડાયા હતા.વંદે માતરમ વીર જવાનો શહીદ રહો ના નારા સાથે દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી…..


