રાજુલા તાલુકાના કુંડલિયાળા ૨૨ વર્ષીય રસિક દાનાભાઈ વાળા નામના યુવાનની બપોરના સમયે અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર નાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ કુંડલિયાળા સરપંચ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગાંગાભાઈ હડિયા તથા હિતેષ સોલંકી સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ ડુંગર પીએસઆઇ ગોહિલ, રાજુલા પીઆઇ ઝાલા સહિતના પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી.. અને આરોપીને શોધખોળ હાથ ધરી હતી. મૃતક યુવકને પીએમ માટે રાજુલા હોસ્પિટલ ખાતે પહોંચ્યા.
