સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
પ્રસ્તુત તસવીરમાં જોઈ શકો છો કે નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ અંગે કામગીરી થઈ રહી છે. પરંતુ સવાલ એ છે કે આ કર્મચારી પણ રોજમદાર કર્મચારી તરીકે ફરજ બજાવે છે. રવિવાર હોય કે જાહેર રજા હોય તેમણે તો કામ કરવાનું જ કારણ કે તેઓ તો રોજમદાર કર્મચારી છેને? હા, રોજમદારની ફરજ તો દૈનિક ધોરણે કામગીરી કરવાની જ.. આવાં રોજમદાર કર્મચારીઓને પણ પર્યાપ્ત માત્રામાં રજા મળવી જોઈએ એવો સૂર પણ રોજમદારોમાં ઉઠી રહ્યો છે. આમ પણ રોજમદાર કર્મચારીઓને કારણે કામગીરીમાં ગતિશીલતા આવે છે એ તો સર્વ વિદિત છે..

