પ્રજાની સુરક્ષા અને સલામતી માટે રાત હોય કે દિવસ..
.રજા હોય કે તહેવાર …પોતાના ઘર પરિવાર થી દુર રહી સતત પોતાની ફરજ બજાવવામાં વ્યસ્ત અને તણાવમાં રહેતા હોવાને લઇ તેની અસર તેમના સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે ,ત્યારે GRD તેમજ પોલીસ કર્મીઓનું સ્વાસ્થ્ય નું ચેકઅપ થાય અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે પુનિયાવાટ ખાતેની શ્રીમતી મણીબેન રાઠવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા છોટાઉદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નિઃ શુલ્ક લોહી તપાસ સહિત સરવરોગ તપાસ અને નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 170 જેટલા પોલીસ કર્મીઓએ પોતાનું ચેકઅપ કરાવ્યું હતું.
તસ્વીર રેહાન પટેલ છોટાઉદેપુર


