ગિરગઢડા
ભરત ગંગદેવ.
ભારતીય આર્મીમાં ન પુરી શકાય એવી મોટી ખોટ પડી છે.
સમગ્ર દેશ આજે શોકમાં ગરકાવ છે. સમગ્ર વિશ્વમાંથી બિપિન રાવતજી માટે શોક સંદેશ આવી રહ્યા છે. દેશભરના નાગરિકો કોઈ ને કોઈ રીતે જનરલ બિપિન સરને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે.
એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજીની માર્ગદર્શનાત્મક પ્રેરણાથી ગુરુકુલ દ્રોણેશ્વરના વિદ્યાર્થીઓ તથા સંતોએ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. સૌ પ્રથમ બે મિનિટ મૌન પાળી નિઃશબ્દ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. બાદમાં આચાર્ય શ્રી મહેશભાઈ જોષી તથા હરિદર્શનસ્વામીએ બિપિન રાવતજીના જીવન વિશે તથા એમણે દેશ માટે આપેલ અમુલ્ય યોગદાન વિશે વાત કરી હતી…


