*ન્યારી-2 જળાશયમાંથી પાણીનો 200 MCFT જથ્થો ખેડૂતોને સિંચાઇ માટે ફાળવાશે
*ન્યારી-2 સિંચાઇ યોજનાના પાણીનો સિંચાઇ લાભ વધુ ૧પ૭ હેકટર વિસ્તારને મળશે
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણાયક નેતૃત્વના આગવા અભિગમની પ્રતીતિ કરાવતાં રાજકોટ જિલ્લાની ન્યારી-2 સિંચાઇ યોજનાના પાણીનો લાભ સિંચાઇ માટે વધુ 157 હેકટર વિસ્તારને આપવાનો કિસાન હિતકારી નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના
આ નિર્ણયને પરિણામે રાજકોટ જિલ્લાના મેટોડા, સરપદડ અને બોડીઘોડી ગામોના ન્યારી યોજનાના કમાન્ડ વિસ્તાર બહારના જે ખેડૂતપુત્રો સિંચાઇ પાણીથી વંચિત રહી ગયેલા છે, તેમને હવે ન્યારી-2ના પાણીનો 200 એમ.સી.એફ.ટી જેટલો પાણીનો જથ્થો સિંચાઇ સુવિધા માટે ઉપલબ્ધ થશે. પ્રવર્તમાન સ્થિતીએ ન્યારી-ર સિંચાઇ યોજનાના કમાન્ડ વિસ્તારના મેટોડા, રંગપર, સરપદડ, બોડીઘોડી, પાટી-રામપર તથા વણપરીના કુલ છ ગામોના 1095 હેકટર વિસ્તારને સિંચાઇ લાભ પ્રાપ્ત થાય છે. આ નિર્ણયથી ખેડૂતોના ખેત ઉત્પાદનમાં વૃદ્ધિ થશે અને રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો થવાથી કિસાનોની આવક બમણી કરવાનો ઉમદા હેતુ પાર પડશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી
એ આ વિસ્તારના કિસાનોની સિંચાઇ માટેના પાણીની વર્ષોજૂની સમસ્યાનું નિવારણ લાવતાં ન્યારી-ર જળાશયમાં રાજકોટ મહાનગર પાલિકા માટે અનામત રાખવામાં આવતો ર૦૦ એમ.સી.એફ.ટી જથ્થો હવે, ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળે તે માટે આપવાનો સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર પાસે 1986માં ન્યારી નદી પર નિર્માણ થયેલ આ ન્યારી-ર યોજનાની કુલ સંગ્રહશક્તિ 432 મીલીયન ઘનફૂટ છે અને કેનાલો મારફતે 1390 હેકટર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરવામાં આવેલું છે.