ગાંધીનગર
રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવકના પ્રમાણપત્રો ઇસ્યુ થયા તારીખથી ત્રણ વર્ષ માટે ગ્રાહ્ય રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રાજયના અન્ય વિભાગોની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા લાભાર્થીઓને દર વર્ષે આવકનું પ્રમાણપત્ર લેવું પડતું હોય છે. આ સમસ્યાનું નિવારણ લાવતાં હવે તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી આપવામાં આવતા આવકના પ્રમાણપત્રોની અવધિ પણ એક વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવાનો ર્નિણય કર્યો છે. સરકારના આ ર્નિણય બાદ હવેથી રાજયના લાભાર્થીઓને દર વર્ષે નવા આવક પ્રમાણપત્ર મેળવવાથી મુકિત મળશે અને એક જ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં. આ ર્નિણયને પરિણામે રાજયના ગ્રામ્ય વિસ્તારના લાખો લાભાર્થીઓને હવે વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવાની સરળતા થશે.રાજય સરકાર મહત્વપુર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે. જેમાં હવે ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્રો દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે. એટલે કે, હવે દર વર્ષે આવકના પ્રમાણપત્ર માટે ધક્કા ખાવા પડશે નહીં. રાજયમાં વિવિધ યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાઈ તે માટે સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. આ ર્નિણયનો લાભ ગ્રામ્ય વિસ્તારના લાખો લાભાર્થીઓને થશે. ગુજરાત સરકાર દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય તે માટે આ મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. આ ર્નિણય અનુસાર રાજયમાં ડિજિટલ ગુજરાત હેઠળ આવકના જે પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે, તેની સમયમર્યાદા હવે એક વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવામાં આવી છે.