ગાંધીનગર
પેથાપુર સ્વામિનારાયણ મંદિરના દરવાજે બાળક ત્યજી અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયા ઝ્રઝ્ર્ફ સામે આવતા ચકચાર મચી છે. સ્વામિનારાયણ મંદિર ચોકમાં અંદાજીત એકથી દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખ્સ મૂકીને ફરાર થતા ઝ્રઝ્ર્ફ માં થયો કેદ થયો હતો. બાળકનેને ત્યજી દેનારા શખ્સની ગાંધીનગર પોલીસે શોધખોળ હાથ ધરી છે. હાલતો ઝ્રઝ્ર્ફ ના આધારે તપાસ આદરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા બાળકની પ્રાથમિક તબ્બકે બાળકની પોલીસે સિવિલમાં મેડિકલ તપાસ શરૂ કરાવી છે. જાે કે જાેતા જ ગમી જાય એવા નાનકડા ભૂલકાને મૂકીને ફરાર થતા નરરાક્ષસનો જીવ કેમ ચાલ્યો હશે તે મુદ્દો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. તેવામાં બાળકને શા માટે મંદિરમાં મૂકી દેવાયો તે અંગે ઉભા થયા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે.હાલમાં નવરાત્રી ચાલી રહી છે અને ગુજરાતના મોટા ભાગના લોકો રાત્રે મોડે સુધી જાગતા હોય છે તેવામાં મોદી રાત્રે એક એવી ચકચારી ઘટના બની કે જેને સમગ્ર ગુજરાતને વિચારતું કરી દીધું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક યુવક આશરે દોઢ વર્ષના બાળકને મૂકીને ફરાર થઈ જતા ચકચાર મચી છે.
