ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગૂજરાત સરકારના પશુ પાલન વિભાગ દ્વારા ચાલતુ અને જી.વી. કે. ઈ.એમ.આર.આઈ. દ્વારા સંચાલિત કરુણા એનિમલ એમ્બ્યુન્સન 1962 દ્વારા ગીર સોમનાથ જિલ્લા ના વેરાવળ ના 80 ફીટ રોડ નો કેસ મળતા પશુ ચિકિત્સક ડો. વિશાલ ડોડીયા અને તેમના સાથી પાયલોટ કમ ડ્રેસર કેસ મા જવા નીકળી ગયા સ્થળ પર પોહોચી તપાસ કરતા જાણવા મળ્યું કે ગાય ને Dystocia (વ્યાજમ ની તકલીફ થી ) પીડાય રહી છે તેવી જાણ થતાં તરતજ પશુચકિત્સક ડોકટરે અને પાયલોટ કમ ડ્રેસર એમ 1962 ની ટીમ દ્વારા ગાય ની પીળા દૂર કરવામાં આવી અને સફળતા પુર્વક વ્યાજમ કરવામાં આવ્યું તેમજ સરકાર દ્વારા ચાલતી મફત સર્વીસ હોય ની ગાય નો જીવ બચાવવા બદલ પશુ ચિકત્સક નો આભાર માનવામા આવ્યો હતો.
*આમ ગીર સોમનાથ જિલ્લા વેરાવળ માં ચાલતી કરુણા એનિમલ એમ્બ્યુન્સન દ્વારા સફળતા પુર્વક ગાય નો જીવ બચાવવામાં આવ્યો હતો અને પશુ ચિકિસ્તક ડો.વિશાલડોડીયા અને પાયલોટ કમ ડ્રેસર દ્વારા સારી કામગીરી બદલ જીલ્લા પ્રોગ્રામ મેનેજર શ્રી ડો.જતીન સંચાણીયા તેમજ જીલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર શ્રી અમાનતઅલી નકવી દ્વારા સારી કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા.*
*આમ અનેક પશુઓ માટે આશીર્વાદ રૂપ બની રહેલ 1962 એનિમલ હેલ્પ લાઇન નો ટોલ ફ્રી નંબર 1962 પર કોલ કરી અબોલ પશુઓ ના જીવ બચાવવા મા મદદરૂપ થવા સોશીયલ એક્ટીવિસ્ટ અનિષ રાચ્છ ગીર સોમનાથ દ્રારા અપીલ કરવામાં આવલ હોવાનુ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.*


