આવતીકાલે તા. ૧૨ નવેમ્બર શુક્રવાર અને તા. ૧૩ નવેમ્બર શનિવારના રોજ રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાનો પ્રવાસ કરશે. જેમાં તા. ૧૨ના રોજ ૧૧:૩૦ થી બપોરે ૧૬:૩૦ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજાશે, તેમજ જામનગર જિલ્લાના દિગ્વિજય ગ્રામ, ગાગવા, શાપર અને કનસુમરા ગ્રામ વિસ્તારોની મુલાકાત લેશે. તા. ૧૩ શનિવારના રોજ મંત્રીશ્રી દડિયા, નારણપર, લાવડીયા ગ્રામીણ વિસ્તારોમાં લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે.
દિવ્યા ત્રિવેદી
