અહેવાલ : સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ
તા 30/11/2021 ને મંગળવારના રોજ શ્રી શિશુ મંદિર ઇન્ટરનૅશનલ સ્કૂલમાં સરકારશ્રીના અને એન ટી સી પી (નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ) વિભાગ દ્વારા ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓની હાજરીમાં તમાકુ સેવનથી થતા વિવિધ રોગ અને નુકશાન અંગે વિસ્તૃત માહિતી શ્રી દિપ્તીબેન વ્યાસ દ્વારા આપવામાં આવેલ અને શ્રીમતી સીમાબેન લાલાણી દ્વારા પાણી જન્ય રોગોથી થતા ચિકન ગુનિયા, મલેરીયા, ડેન્ગ્યુ જેવા રોગોથી બચવામાં વિવિધ સાવચેતી રાખવા અને ઘર, ઓફિસ, શાળા, રહેઠાણ વગેરે સ્થળ પર સઘન સ્વછતા જાળવવા ભાર મુકેલ આ સમગ્ર પ્રોગ્રામમાં શિશુ મંદિર ઈંટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીશ્રી જગમાલભાઇ વાળાની હાજરી પ્રેરણા સ્ત્રોત રહી તથા પ્રિન્સિપલ ઇન્ચાર્જ શ્રી શ્વેતા બેન આચાર્ય એ પણ બાળકોને સ્વછતા જાળવવા માર્ગદર્શન કર્યું અને બાળકોને સ્વછતા જાળવવા ઉત્સાહિત કર્યા. હોવાનું સોની યોગેશ પી સતીકુંવર દ્વારા જણાવેલ


