રાજ્ય સરકાર દ્વારા તા.૨૫ થી તા.૩૧ ડીસેમ્બર સુધી સુશાસન સપ્તાહનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૮ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન ઓશવાળ સેન્ટર, સાત રસ્તા પાસે, જામનગર ખાતે જિલ્લાના ખેડૂતો, પશુપાલકો, મત્સ્યપાલકો, સહકારી મંડળીના સભાસદો વગેરેને વિવિધ પ્રકારના બે હજાર જેટલા યોજનાકીય લાભોથી લાભાન્વિત કરવામાં આવશેતેમજ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીને સાધનસામગ્રી સાથે સહાય વિતરણ વિવિધ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત અને કૃષિ, પશુપાલન વિભાગનું પ્રદર્શન યોજાનાર છે.
વિરેન્દ્રસિંહ પરમાર
