Gujarat

૧૧ દીપડાની હત્યા અને પ્રાણીઓ પર ક્રૂરતાના અનેક બનાવો

ગાંધીનગર
પોરબંદર, જૂનાગઢ, ગોધરા, નવસારી અને અરવલ્લી જિલ્લામાં એક-એક દીપડાની, તથા અમરેલી, ભાવનગર, અને ડાંગ જિલ્લામાં બે-બે દીપડાની હત્યા કરવામાં આવીં છે. તે સાથે કાળિયારના શિકારની પણ ત્રણ ઘટના બની છે. વન્ય પ્રાણીઓ ઉપર ક્રૂરતા આચરવાની ઘટનાઓ પણ મોટા પ્રમાણમાં બની રહી છે. તે અંગે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરતા ૧૨૩ આરોપીઓ સામે ગુનો માંડવાળ કરવા વળતર પેટે યોગ્ય રકમ વસૂલ કરાઇ છે. વન વિભાગના જણાવ્યા મુજબ વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે કોઇપણ જિલ્લામાં ૨૪ કલાક કાર્યરત હોય તેવો કંટ્રોલ રૂમ નથી. શિકારની ગેરકાયદે પ્રવૃતિની માહિતી માટે નંબર જારી કરાયો છે. તે સિવાય અતિવૃષ્ટિ કે કરૂણા અભિયાન દરમિયાન વન્ય જીવોને લગતી બાબતો માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે છે. રાજ્યમાં દીપડાની સંખ્યામાં પણ છેલ્લા કેટલાક વર્ષમાં મોટી સંખ્યામાં વધારો થયો છે ત્યારે તેની હત્યામાં પણ વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૩ વર્ષમાં રાજ્યમાં ૧૧ દીપડાની હત્યા કરવામાં આવી છે. ૩ વર્ષમાં વન્ય પ્રાણીઓ પર ક્રૂ્રતા આચરવાની પણ અનેક ઘટનાઓ બની છે. તો ૩ નીલગાયનો પણ વિવિધ જિલ્લામાં શિકાર કરાયો છે. વિધાનસભા ગૃહમાં વન્ય પ્રાણીઓને લગતા વિવિધ સવાલ પૂછવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ દ્વારા દીપડાની હત્યા અંગેના સવાલના જવાબમાં વન વિભાગ દ્વારા લેખિત જવાબમાં જણાવાયું હતું કે ૧૧ દીપડાની ત્રણ મહિનામાં હત્યા કરવા બદર આરોપીઓ સામે વન્ય પ્રાણી (સંરક્ષણ) અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઇ છે.

Deepado-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *