મુંબઈ,
ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ ૨૦૨૧ને ૧૬ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. આ પુરસ્કારો માટેના નોમિનેશનની જાહેરાત આ વર્ષે જ ૨૩ સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. જેમાં ૨૪ દેશોના ૪૪ નોમિનેટેડ સ્ટાર્સે ભાગ લીધો હતો. ભારતના નવાઝુદ્દીન સિદ્દીકીને બેસ્ટ એક્ટર કેટેગરીમાં નોમિનેશન મળ્યું જ્યારે વીર દાસના શોને બેસ્ટ કોમેડી શો કેટેગરીમાં નોમિનેશન મળ્યું. રામ માધવાણીનો શો બેસ્ટ ડ્રામા કેટેગરીમાં નોમિનેટ થયો હતો.અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી, કોમેડિયન વીર દાસ અને અભિનેત્રી સુષ્મિતા સેન અભિનીત ‘આર્યા’પ..બધાને ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ ૨૦૨૧માં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે બેસ્ટ ડ્રામા માટેનો ઇન્ટરનેશનલ એમી એવોર્ડ ઇઝરાયેલમાં બનેલી સિરીઝ તેહરાનને મળ્યો હતો. સુષ્મિતા સેનની વેબ સિરીઝ આર્યા આ સિરીઝથી પરાસ્ત થઈ ગઈ હતી. વીર દાસનો શો વીર દાસઃ ભારત માટે ફ્રાન્સના શો કૉલ માય એજન્ટ સિઝન ૪માં હાર્યો હતો. નવાઝુદ્દીન સિદ્દીકીને બ્રિટિશ શો દેસથી પરાજય મળ્યો હતો. જાેકે, ડેવિડ ટેનાન્ટ એવોર્ડ સુધી પહોંચી શક્યા ન હતા. તે જ સમયે, નવાઝ ૩-૪ દિવસ ન્યુટોર્કમાં હતો. તાજેતરમાં દ્ગીંકઙ્મૈટ પર ઝ્રટ્ઠઙ્મઙ્મ સ્અ છખ્તીહં ની ભારતીય આવૃત્તિ રિલીઝ કરવામાં આવી છે. આ શો આવતા વર્ષે એમી એવોર્ડ માટે નોમિનેટ થાય તેવી શક્યતા છે.ન્યૂયોર્કમાં ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ ૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં આ એવોર્ડને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. નેટફ્લિક્સને આશા હતી કે તેની ફિલ્મ સિરિયસ મેન અને કોમેડી સિરીઝ વીર દાસ ફોર ઇન્ડિયાના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીને એવોર્ડ મળશે. પરંતુ આવું કંઈ થયું નથી.
