Maharashtra

બીસીસીઆઈ હવે કાયમ માટે દૂર કરશે ખેલાડીઓની ફરિયાદા

મુંબઇ
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ હાલમાં ૨૦ વર્લ્‌ડ કપ-૨૦૨૧માં ભાગ લઈ રહી છે. આ વર્લ્‌ડ કપ પછી આ ટીમે ભારતનો પ્રવાસ કરવો પડશે. આ પ્રવાસમાં ન્યૂઝીલેન્ડ અને ભારત ની ટીમો ત્રણ મેચની ટી ૨૦ સિરીઝ રમશે. શ્રેણીની પ્રથમ મેચ ૧૭ નવેમ્બરે જયપુરમાં રમાશે. બીજી મેચ ૧૯ નવેમ્બરે રાંચીના ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.ખેલાડીઓની ફરિયાદ બાદ બીસીસીઆઈએ ઈંગ્લેન્ડની યુક્તિ અપનાવવાનું મન બનાવી લીધું છે. ઈંગ્લેન્ડની ચાલનો અર્થ છે ટીમની અંદર રોટેશન પોલિસી. ઈંગ્લેન્ડની જેમ હવે ભારતીય ટીમમાં પણ આ જાેવા મળશે. ન્યુઝીલેન્ડ સામેની સીરીઝથી પણ આનો અમલ થવા જઈ રહ્યો છે. બીસીસીઆઈના એક અધિકારીએ સ્પોર્ટસ વેબસાઈટને આ જાણકારી આપી છે.જે વાતચીતમાં બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, અમે ખેલાડીઓના થાકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લીધો છે. બાયો બબલમાં સતત રહેવું સહેલું નથી. તેથી ખેલાડીઓએ રોટેટ કરવું જરૂરી છે. તેની શરૂઆત ન્યૂઝીલેન્ડ શ્રેણીથી થશે. આ પોલિસી હેઠળ ડોમેસ્ટિક ક્રિકેટ માં ચમકતા અન્ય ઘણા ખેલાડીઓને પણ પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે. ઓછામાં ઓછા ટી-૨૦માં, અત્યારે અમે ટેસ્ટમાં અમારી મુખ્ય ટીમ સાથે જઈને આ પ્રક્રિયા શરૂ કરીશું. ભારતીય ટીમના ભાવિ પ્રવાસ કાર્યક્રમને જાેતા ભારતીય ટીમે બાયોબબલને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે. ટીમ ઈન્ડિયાએ વર્ષ ૨૦૨૨માં બેક ટુ બેક સિરીઝ રમવાની છે, ત્યારબાદ ૨૦૨૩માં વર્લ્‌ડ કપ રમવાનો છે. સામે દક્ષિણ આફ્રિકાના પ્રવાસને જાેતા ભારતે ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે. તે જ સમયે, શ્રેયસ અય્યર, કૃષ્ણા જેવા ખેલાડીઓને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારત છ ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે મોકલવામાં આવેલા સ્થાનિક ક્રિકેટના ઘણા મોટા સ્ટાર્સ ભારતીય ક્રિકેટના ભાવિ આયોજનનો એક ભાગ છે. બીસીસીઆઈ ના અધિકારીએ કહ્યું, “શ્રેયસ અય્યરની પસંદગી સંપૂર્ણપણે બેકઅપ પ્લાનનો એક ભાગ છે. અમારા સ્પિનરો પણ સતત રમી રહ્યા છે, તેથી જયંત યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભાવિ શ્રેણી માટે જયંત અમારો બેકઅપ વિકલ્પ છે.”

BCCI.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *